લોડ થઈ રહ્યું છે...

રાજ્યના 115 જળાશયો 100 ટકા ભરાયા, સરદાર સરોવર ડેમમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,88,248 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 86 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,40,773 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 79 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

image
X
ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 55 ટકાથી વધુ એટલે કે 206 જળાશયોમાંથી 115 જળાશયો સંપૂર્ણ-100 ટકા જ્યારે 45 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 17 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 20 ડેમમાં 25 થી 50 ટકા વચ્ચે તેમજ 9 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે.    

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,88,248  એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 86 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,40,773 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 79 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
  
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 2.35 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વણાકબોરી જળાશયમાં 1.66 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.66 લાખની જાવક, ઉકાઈમાં 1.47 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.47 લાખની જાવક, કડાણા જળાશયમાં 71 હજાર ક્યુસેક પાણીની આવક સામે 96 હજાર ક્યુસેક પાણીની જાવક તેમજ પાનમ જળાશયમાં 23 હજાર ક્યુસેક પાણીની આવક સામે 22 હજાર ક્યુસેક પાણીની જાવક  નોંધાઈ છે.   

આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રના 141 માં 85 ટકા, દક્ષિણ ગુજરાતના 13 માં 78 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 52 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 81 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો.

Recent Posts

Ahmedabad: ડિજિટલ ફ્રોડનો શિકાર બન્યા મહિલા જજ! કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Los Angeles: પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર બોમ્બ બ્લાસ્ટ! અનેક પોલીસ કર્મીઓના મોતની આશંકા, તપાસના ચક્રોગતિમાન

TOP NEWS | બંગાળને 5 હજાર કરોડની ભેટ |tv13Gujarati

અમરેલી: વડિયાના ઢૂંઢિયા પીપળીયામાં ડબલ મર્ડર, લૂંટના ઇરાદે ખેડૂત વૃદ્ધ દંપતીની હત્યા થઈ હોવાની પોલીસને આશંકા

વાહક જન્ય રોગો પર નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની સવિશેષ ઝુંબેશ, 21 જિલ્લામાં જંતુનાશક દવા છંટકાવનો પ્રથમ તબક્કો પૂર્ણ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54.90 ટકા જળસંગ્રહ, જાણો સીઝનનો કેટલા ટકા નોંધાયો વરસાદ

અમે નકલી કેસોથી ડરીશું નહીં… AAP નેતા આતિશીના ભાજપ અને ED-CBI પર પ્રહાર

પશુપાલકોની શું છે નારાજગી...? સાબરડેરીએ આપેલા ભાવફેરની જાહેરાત બાદ પણ વિરોધ યથાવત

Rajkot: લોકમેળાને લઈને મહત્વના સમાચાર, રાજ્ય સરકારે SOPના નિયમોમાં છૂટછાટ સાથે આપી મંજૂરી

ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવારે યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ