લોડ થઈ રહ્યું છે...

નવસારી: 16 વર્ષથી બે પત્નીઓ સાથે સંસાર ચલાવતો યુવાન...3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, વાંચો Inside Story

image
X
નવસારી જિલ્લાની વાંસદા તાલુકાની ખાટમૂર ગામમાં એક અનોખો અને ચકિત કરી દેતો લગ્ન પ્રસંગ લોકોના આકર્ષણનો કેન્દ્ર બન્યો છે. અહીં રહેતા મેઘરાજ દેશમુખ નામના યુવાને છેલ્લા 16 વર્ષથી સમજૂતીભર્યા સંબંધમાં રહેતી પોતાની બે પત્નીઓ સાથે હવે ધાર્મિક રીતે લગ્ન ફેરા લીધા છે. આ નિર્ણય માત્ર તેમના પરિવાર માટે નહિ, પણ સમગ્ર સમાજ માટે એક ચર્ચાનો વિષય બન્યો છે.

સામાન્ય રીતે લગ્નેતર સંબંધો અને અસંતોષના કારણે ઘરો તૂટી જતા હોવાના સમયમાં, દેશમુખ પરિવારનું આ ઉદાહરણ શ્રદ્ધા, સમજદારી અને સહઅસ્તિત્વનું નમૂનો પુરવાર થાય છે. મેઘરાજે રેખા અને કાજલ નામની બંને મહિલાઓ સાથે વર્ષો સુધી એકસાથે સમજૂતીપૂર્વક જીવન વિતાવ્યું છે. ત્રણ સંતાનો સાથે હવે આ પરિવારે પોતાનું જીવન સ્થિર કરી દીધું છે અને હવે ધાર્મિક વિધિથી લગ્ન કરીને સામાજિક અને ધાર્મિક માન્યતા પણ પ્રાપ્ત કરી છે.

આ વિવાહ સમારંભ માટે વિશેષ રૂપે આમંત્રણ પત્રો તૈયાર કરવામાં આવ્યા હતા અને 19 મેના રોજ પરંપરાગત આદિવાસી રીતિ-રિવાજ મુજબ લગ્ન વિધિ સંપન્ન થઈ. આ પ્રસંગે સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરિવાર તરફથી જણાવાયું કે આ લગ્ન સમારંભ માત્ર રિવાજ માટે નથી, પરંતુ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી જે સંબંધમાં રહે છે તેને એક ધાર્મિક ઔપચારિકતા આપવાનો પ્રયાસ છે.

મેઘરાજ દેશમુખના પરિવારના વડીલોએ જણાવ્યું કે બહુપત્ની પ્રથા તેમના સમુદાયમાં સ્વીકાર્ય અને પરંપરાગત છે. મેઘરાજના પિતા અને દાદા પણ બહુપત્ની જીવન પધ્ધતિ અનુસરી ચૂક્યા છે. આદિવાસી સમાજની કેટલીક જાતિઓમાં આજે પણ આ પરંપરા જીવંત છે અને તેને અસામાન્ય નહિ પણ સામાન્ય માનવામાં આવે છે. મેઘરાજ પોતે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવે છે અને તેથી છેલ્લા ઘણા સમયથી વિધિવત લગ્ન વિધિ ટાળી રહ્યા હતા. પરંતુ હવે પરિવાર સ્થિર થઈ ગયાની સાથે, સંતાનો મોટા થતાં તેમણે આ વિચારને અમલમાં મૂક્યો છે. તેમણે જણાવ્યું કે હવે બધું સ્પષ્ટ અને ખુલ્લું હોવું જોઈએ, જેથી સમાજ સામે કોઈ તકલીફ ઊભી ન થાય.

આ પ્રસંગે અનેક લોકો માટે વિચારવા જેવી વાત ઊભી થઈ છે કે સંબંધોમાં વિશ્વાસ, સમજદારી અને એકબીજાની જરૂરિયાતો અંગે સમજૂતી હોય તો પરંપરાગત બંધનો પણ નવા અર્થ મેળવી શકે છે. નવસારી જિલ્લાનું આ ઉદાહરણ હવે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારની ચર્ચાનો વિષય બન્યું છે.

Recent Posts

Dwarka: જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશનના નામે કૌભાંડનો પર્દાફાશ, 2 એજન્ટ, 9 માછીમારો સહિત કુલ 11 લોકોની અટકાયત

Gujarat by Election 2025: વિસાવદર અને કડી પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ, જાણો કેટલા ટકા થયું મતદાન

PM મોદીની વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, વલસાડના વાપીમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા, જાણો તમારા શહેરની સ્થિતિ

ભરૂચ: લક્ઝરી બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, એલસીબી પોલીસે 2ની કરી ધરપકડ

સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં 119 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા, ડિપોર્ટ કરવાની કાર્યવાહી તેજ

અમદાવાદ વિમાન દુર્ઘટના: મૃત્યુઆંક વધી શકે છે, પોલીસ કમિશનરે કહ્યું-'318 શરીરના ભાગો મળ્યા'

Gujarat by Election 2025: ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ! બપોરે 3 વાગ્યા સુધીમાં કડીમાં 46.33% અને વિસાવદરમાં 47.67% મતદાન નોંધાયું, મતદારોમાં ભારે ઉત્સાહ

ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું

Gujarat Monsoon: ગુજરાતમાં અત્યાર સુધીમાં 91 તાલુકામાં મેઘ મહેર, વાપીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો