લોડ થઈ રહ્યું છે...

ગુજરાતમાં કોંગ્રેસ-આપ ગઢબંધન તૂટ્યા બાદ ઈસુદાન ગઢવીએ કહ્યું-"ભાજપને કોઈ હરાવી શકે તો તે AAP છે"

image
X

વિસાવદર વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાવાની છે. પેટાચૂંટણીની તારીખો હજુ સુધી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી નથી, પરંતુ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વર્ષ 2022ની વિધાસભા ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે લડી હતી. પરંતુ હવે બંને પાર્ટીએ ગઢબંધન તોડી નાખ્યું છે. આ ગઢબંધન તૂટ્યા બાદ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી.

ભાજપને કોઈ હરાવી શકે તો તે AAP છેઃ ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોદી હતી. તેમણે કહ્યું કે એક વાત સ્પષ્ટ છે કે ભાજપને કોઈ હરાવી શકે તો તે આપ છે. વિસાવગર સીટ ગઢબંધનમાં ત્રણેય પાર્ટીમાં ગોપાલ ઈટાલિયા મજબૂત છે. વિસાવદરમાં આપ તરફી માહોલ છે. તેમણે કહ્યુ કે ખેડૂતોના અપમાનનો બદલો લેવા લોકો એક થયા છે. અમે મજબૂતીથી લડીશું.

ઈસુદાન ગઢવીએ કહ્યુ કે વિસાવદરમાં અનેક સમસ્યા છે. આમ આદમીએ ઉમેદવાર જાહેર કરતા મુખ્યમંત્રીએ ત્યાં કામ શરૂ કરવા પડ્યા છે. કોંગ્રેસ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઓવરઓલ 14 ટકા અને આદિવાસી વિસ્તારમાં 25 ટકા મત મેળવ્યા હતા. આમ આદમી પાર્ટી જ એક એવી છે જે મજબૂતીથી લડી શકે. 

ગઢબંધન તૂટ્યા બાદ આપને ઝટકો!
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઢબંધન તૂટવાને કારણે આપને ઝટકો લાગ્યો છે. અમદાવાદ અને સુરતના 100 આપ કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેરાવી સભ્યપદ અપાવ્યું હતું. આ પ્રસંગે શક્તિસિંહે કહ્યુ કે આપ કાર્યકરોના ખભાનો દુરૂપયોગ થઈ રહ્યો હતો. સામાન્ય ગુજરાતીઓનું ભલું થાય તે દિશામાં કોંગ્રેસ કામ કરશે. તેમણે કહ્યું કે આપણા તેજસ્વી યુવાનો ડ્રગ્સના દૂષણમાં હોમાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે પેટા ચૂંટણીમાં એકલા લડવાનો નિર્ણય લીધો છે.



Recent Posts

યુટ્યુબર માટે મિત્રતા બની સમસ્યા, જ્યોતિ મલ્હોત્રા જાસૂસી કેસમાં પ્રિયંકા સેનાપતિ કોણ છે? જાણો

સરકારી કચેરીના સમયમાં થશે ફેરફાર?

લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહનો પાકિસ્તાની ઝંડામાં નીકળ્યો જનાજો, પહેલગામ હુમલા બાદ ISIએ તેને અંડરગ્રાઉન્ડ કર્યો હતો

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઇ ગયો ગંભીર રોગ

હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા 2 શંકાસ્પદ લોકોની ધરપકડ

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી: 16 વર્ષથી બે પત્નીઓ સાથે સંસાર ચલાવતો યુવાન...3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, વાંચો Inside Story