ગુજરાતમાં કોંગ્રેસ-આપ ગઢબંધન તૂટ્યા બાદ ઈસુદાન ગઢવીએ કહ્યું-"ભાજપને કોઈ હરાવી શકે તો તે AAP છે"
વિસાવદર વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાવાની છે. પેટાચૂંટણીની તારીખો હજુ સુધી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી નથી, પરંતુ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વર્ષ 2022ની વિધાસભા ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે લડી હતી. પરંતુ હવે બંને પાર્ટીએ ગઢબંધન તોડી નાખ્યું છે. આ ગઢબંધન તૂટ્યા બાદ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી.
ભાજપને કોઈ હરાવી શકે તો તે AAP છેઃ ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોદી હતી. તેમણે કહ્યું કે એક વાત સ્પષ્ટ છે કે ભાજપને કોઈ હરાવી શકે તો તે આપ છે. વિસાવગર સીટ ગઢબંધનમાં ત્રણેય પાર્ટીમાં ગોપાલ ઈટાલિયા મજબૂત છે. વિસાવદરમાં આપ તરફી માહોલ છે. તેમણે કહ્યુ કે ખેડૂતોના અપમાનનો બદલો લેવા લોકો એક થયા છે. અમે મજબૂતીથી લડીશું.
ઈસુદાન ગઢવીએ કહ્યુ કે વિસાવદરમાં અનેક સમસ્યા છે. આમ આદમીએ ઉમેદવાર જાહેર કરતા મુખ્યમંત્રીએ ત્યાં કામ શરૂ કરવા પડ્યા છે. કોંગ્રેસ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઓવરઓલ 14 ટકા અને આદિવાસી વિસ્તારમાં 25 ટકા મત મેળવ્યા હતા. આમ આદમી પાર્ટી જ એક એવી છે જે મજબૂતીથી લડી શકે.
ગઢબંધન તૂટ્યા બાદ આપને ઝટકો!
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઢબંધન તૂટવાને કારણે આપને ઝટકો લાગ્યો છે. અમદાવાદ અને સુરતના 100 આપ કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેરાવી સભ્યપદ અપાવ્યું હતું. આ પ્રસંગે શક્તિસિંહે કહ્યુ કે આપ કાર્યકરોના ખભાનો દુરૂપયોગ થઈ રહ્યો હતો. સામાન્ય ગુજરાતીઓનું ભલું થાય તે દિશામાં કોંગ્રેસ કામ કરશે. તેમણે કહ્યું કે આપણા તેજસ્વી યુવાનો ડ્રગ્સના દૂષણમાં હોમાઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે પેટા ચૂંટણીમાં એકલા લડવાનો નિર્ણય લીધો છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats