લોડ થઈ રહ્યું છે...

મહારાષ્ટ્રના મહા સંગ્રામ બાદ કોઈ મહા ખેલના એંધાણ ! એકનાથ શિંદેએ શરદ પવાર ગ્રુપના નેતા સાથે કરી મુલાકાત

શિંદેની સતારાની મુલાકાત અંગે શિવસેનાના ધારાસભ્ય ઉદય સામંતે કહ્યું કે કોઈ નારાજગી નથી. એકનાથ શિંદેની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ તેમના ઘરે ગયા છે. સારા સ્વાસ્થ્ય માટે ગયા છે. ગઈકાલે આદરપૂર્વક બેઠક યોજાઈ હતી. 60 ધારાસભ્યોએ મળીને શિંદેજીને આ સંદેશ આપ્યો છે કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ ડેપ્યુટી સીએમ બને.

image
X
ચૂંટણી પરિણામો બાદ પણ મહારાષ્ટ્રનું રાજકીય તાપમાન ઊંચુ છે. હજી સુધી મહાયુતિએ મુખ્યમંત્રીના નામ પર કોઈ નિર્ણય લીધો નથી. તો બીજી તરફ, એકનાથ શિંદે મહાવિકાસ અઘાડી ઘટક NCP-SP નેતા જીતેન્દ્ર આવ્હાડને મળ્યા છે. એકનાથ શિંદે સાતારા જતા પહેલા જિતેન્દ્ર આવ્હાડને મળ્યા હતા. જોકે આ મુલાકાતનું કારણ જાણવા મળ્યું નથી. 

એકનાથ શિંદે સતારા જિલ્લામાં સ્થિત તેમના ગામમાં બે દિવસ રોકાશે. આવી સ્થિતિમાં 29 અને 30 નવેમ્બરે મુંબઈમાં મહાયુતિની બેઠક યોજાય તેવી કોઈ શક્યતા નથી. આ બેઠક રવિવારે યોજાશે જેના માટે ભાજપના નિરીક્ષકો મુંબઈમાં રહેશે.  શિંદેની સતારાની મુલાકાત અંગે શિવસેનાના ધારાસભ્ય ઉદય સામંતે કહ્યું કે કોઈ નારાજગી નથી. એકનાથ શિંદેની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ તેમના ઘરે ગયા છે. સારા સ્વાસ્થ્ય માટે ગયા છે. ગઈકાલે આદરપૂર્વક બેઠક યોજાઈ હતી. 60 ધારાસભ્યોએ મળીને શિંદેજીને આ સંદેશ આપ્યો છે કે અમે ઈચ્છીએ છીએ કે તેઓ ડેપ્યુટી સીએમ બને. એકનાથ શિંદે પોતે આનો નિર્ણય કરશે. 

શિંદેનું સરકારમાં રહેવું જરૂરી છે - ઉદય સામંત
ઉદય સામંતે કહ્યું કે સરકારમાં રહેવું તેમના માટે જરૂરી છે. તેઓ લાડકી બહેના યોજના લાવ્યા છે. તેથી તેમના માટે સરકારમાં રહેવું જરૂરી છે. ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારની બેઠક થશે જેમાં કેબિનેટ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે એકનાથ શિંદે સરકારનો હિસ્સો બને. એવું કહેવામાં આવી રહ્યું હતું કે દિલ્હીમાં અમિત શાહ સાથે મહાયુતિના નેતાઓની બેઠક બાદ સીએમ ચહેરાની જાહેરાત કરવામાં આવશે પરંતુ તેમ થયું નહીં. હવે મુંબઈમાં વધુ એક બેઠકની ચર્ચા છે જેના પર હવે સૌની નજર ટકેલી છે.

Recent Posts

જુઠ્ઠાણાનું યુદ્ધ: પાકિસ્તાનના પ્રચાર પર ભારતનો વ્યૂહાત્મક પ્રતિભાવ

રાજકોટ : યુટ્યુબર બન્ની ગજેરાની ઉત્તરાખંડથી ધરપકડ, બદનક્ષી બદલ રૂ.10 કરોડની નોટિસ ફટકારી

Top News | pm મોદીની 'પાક એક્સપોઝ્ડ' યોજના | tv13 gujarati

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું-"અમે પરમાણુ ધમકીઓથી ડરતા નથી..."

દાહોદ: મનરેગા કૌભાંડ મામલે બળવંત ખાબડ અને દર્શન પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર

ઓપરેશન સિંદૂર: ભારતનું વ્યૂહાત્મક લશ્કરી ઓપરેશન

ઓપરેશન સિંદૂર: ભારતનો વ્યૂહાત્મક માસ્ટરસ્ટ્રોક

હિમાચલ પ્રદેશમાં રાજ્ય સહકારી બેંકનું સર્વર હેક, ચંબા શાખામાંથી 11.55 કરોડ રૂપિયાની કરી ઉઠાંતરી

ઓવૈસીએ પાડોશી દેશ પર કર્યા પ્રહારો, હવે આપણે મોદીની 'ટીમ ઇન્ડિયા'માં જોડાઈને તેમનો પર્દાફાશ કરીશું

ગાંધીનગરની ગોસિપ..