લોડ થઈ રહ્યું છે...

અમદાવાદ: પ્લેન દુર્ઘટના બાદ જગન્નાથ મંદિર પ્રશાસન લઈ શકે છે મોટો નિર્ણય, સાદાઈથી નીકળશે રથયાત્રા

image
X
દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી 27 જૂને અમદાવાદમાં નીકળશે. 27 જૂને નિકળનાર રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂટ ધરાવતી યાત્રા છે. જેમાં લાખોની સંખ્યામાં નગરચર્યાએ આવતા ભગવાનના દર્શન કરવા માટે ઉમટે છે. ત્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 278 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવી શકે છે. આ માટે જગન્નાથ મંદિર પ્રશાસન અને રાજ્ય સરકાર સાથે બેઠક કર્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે.

બેઠક બાદ લેવામાં આવશે નિર્ણય
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે રથયાત્રાના આયોજનને લઈને રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે હજી બેઠક યોજાઈ નથી. હાલમાં તો દર વર્ષની જેમ જ રથયાત્રાની તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ આગામી સમયમાં રાજ્ય સરકાર સાથે બેઠક બાદ રથયાત્રાના આયોજનનો નિર્મય લેવામાં આવી શકે છે.

27 જૂને 148મી રથયાત્રા નીકળશે
અમદાવામાં ભગવાન જગન્નાથની રથયાત્રાની શરુઆત 1869થી થઈ હતી. આગામી 27 જૂને અમદાવાદમાં નીકળનારી ભગાવાન જગન્નાથની રથયાત્રા 148મી છે. મળતા સમચાર પ્રમાણે જો વાત કરવામાં આવે તો આગામી રથયાત્રા સાદાઈથી નીકળી શકે છે. જો કે હજી જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Recent Posts

લંડનમાં અમદાવાદ જેવી પ્લેન દુર્ઘટના, ટેક ઓફ સમયે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ સહિતની ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે

અરવલ્લીના મોડાસામાં tv13 ગુજરાતીનો મહાસન્માન પુરસ્કાર સમારોહ, ખેડૂતો, શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓનું વિશેષ સન્માન

Mehsana: મિત્રના ત્યાં ITની રેડ પડી છે, પૈસા છોડાવવા હોય તો... રૂપિયા 21 લાખ પડાવનારો નકલી IAS અધિકારી ઝડપાયો

સુરત: જૂગારધામ પર દરોડા મામલે કાર્યવાહી, તરસાડી નગરના 3 ભાજપના હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

EDની અમદાવાદ ઝોનલ ઓફિસની કાર્યવાહી, રૂપિયા 6.80 કરોડની કિંમતની સ્થાવર મિલકત કરાઇ જપ્ત, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં અત્યાર સુધીમાં 117 તાલુકામા મેઘો મૂશળધાર, સૌથી વધુ બનાસકાંઠાનાં દાંતામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો

CM મોહન યાદવનું દુબઈમાં ઉષ્માભર્યું સ્વાગત, રોકાણકારો સાથે કરશે વાત

સુરેન્દ્રનગરના વઢવાણમાં ઢોર ચરાવવા બાબતે 6 શખ્સોએ આધેડ પર કર્યો હુમલો, સારવાર દરમિયાન મોત

દિલ્હી-NCRમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ રાજ્યોમાં આગામી 4 દિવસ વધુ ભારે, IMD આપી ચેતવણી

કે કવિતા પર ટિપ્પણીને લઈને તેલંગાણામાં અંધાધૂંધી, કોંગ્રેસના પૂર્વ નેતાના કાર્યાલયમાં તોડફોડ અને ગોળીબાર