લોડ થઈ રહ્યું છે...

અમદાવાદ વિમાન દુર્ઘટના: 8 પીડિત પરિવારોના પહેલા નમૂના સાથે DNA મેચ ન થયો, બીજો નમૂનો મંગાવવામાં આવ્યો

image
X
અમદાવાદ વિમાન દુર્ઘટના સંબંધિત મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ ઘટનામાં 8 પીડિતોના પરિવારજનોના ડીએનએ મેચ થયા નથી, તેથી તેમને પરીક્ષણ માટે કોઈ અન્ય સંબંધીના નમૂના આપવાનું કહેવામાં આવ્યું છે. ખરેખર, ડીએનએ પરીક્ષણ માટે આપવામાં આવેલ પ્રથમ નમૂના મેચ થયો ન હતો. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપરિન્ટેન્ડેન્ટનું નિવેદન
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, 'જ્યાં સુધી મેચ ન થાય ત્યાં સુધી, મૃતદેહો સંબંધીઓને સોંપી શકાતા નથી'. તેમણે કહ્યું, "જ્યારે લાંબા સમય સુધી કોઈ મેચ ન થાય, ત્યારે તમે બીજા સંબંધી પાસેથી બીજો નમૂના માંગી શકો છો. જો કોઈ ભાઈ-બહેને નમૂના આપ્યો હોય તો પછી બીજા ભાઈ-બહેનના નમૂનાને પીડિતના ડીએનએ સાથે મેચ કરવા માટે કહેવામાં આવે છે."

જોશીએ કહ્યું, "અમે સામાન્ય રીતે પિતા અથવા પુત્ર/પુત્રીના નમૂના લેવાનું પસંદ કરીએ છીએ. જો આવું ન થાય તો અમે કોઈપણ અન્ય ઉપલબ્ધ સભ્યનો નમૂના લઈએ છીએ." જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે આ પ્રક્રિયામાં ભાઈ-બહેનના નમૂના મેચ થયા છે. ઓછામાં ઓછા આઠ પરિવારો એવા છે જેમના પહેલા નમૂનામાં કોઈ મેળ ખાતો નથી, તેથી બીજો નમૂનો માંગવામાં આવ્યો છે.

શનિવાર સુધીમાં 247 મૃતકોના DNA નમૂના થયા મેચ
મળતી માહિતી મુજબ અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે 21 જૂન 2025ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં 247 DNA મેચ થયા છે. 232 પાર્થિવદેહ એમના પરિવારને સોંપવામાં આવ્યા છે. 15 પાર્થિવદેહમાંથી 3 પરિવાર DNA મેચની રાહ જોઇ રહ્યા છે. 6 પાર્થિવદેહને તેમના પરિજનો ગમે તે સમયે લઈ જશે.  બાકી 6 પાર્થિવદેહને તેમના પરિજનો આયોજન કરી રહ્યા છે. આજે લઈ જશે.  23 મૃતદેહ બાય એર, 209 બાય રોડ એમ્બ્યુલન્સ દ્વારા તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.  232 પાર્થિવદેહમાંથી 175 ભારતીય, 52 બ્રિટિશર,1 કેનેડિયન,7 પોર્ટુગીઝ અને 12 નોન પેસેન્જર છે. બાકીના DNA મેચ થયા બાદ પરિવારને સોંપવામાં આવશે.

અમદાવાદ વિમાન દુર્ઘટના ક્યારે બની?
અમદાવાદ વિમાન દુર્ઘટના 12 જૂન 2025 ના રોજ બની હતી. અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ના ટેકઓફ પછી તરત જ આ અકસ્માત થયો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો.

Recent Posts

લંડનમાં અમદાવાદ જેવી પ્લેન દુર્ઘટના, ટેક ઓફ સમયે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ સહિતની ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે

અરવલ્લીના મોડાસામાં tv13 ગુજરાતીનો મહાસન્માન પુરસ્કાર સમારોહ, ખેડૂતો, શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓનું વિશેષ સન્માન

Mehsana: મિત્રના ત્યાં ITની રેડ પડી છે, પૈસા છોડાવવા હોય તો... રૂપિયા 21 લાખ પડાવનારો નકલી IAS અધિકારી ઝડપાયો

સુરત: જૂગારધામ પર દરોડા મામલે કાર્યવાહી, તરસાડી નગરના 3 ભાજપના હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

EDની અમદાવાદ ઝોનલ ઓફિસની કાર્યવાહી, રૂપિયા 6.80 કરોડની કિંમતની સ્થાવર મિલકત કરાઇ જપ્ત, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં અત્યાર સુધીમાં 117 તાલુકામા મેઘો મૂશળધાર, સૌથી વધુ બનાસકાંઠાનાં દાંતામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો

CM મોહન યાદવનું દુબઈમાં ઉષ્માભર્યું સ્વાગત, રોકાણકારો સાથે કરશે વાત

સુરેન્દ્રનગરના વઢવાણમાં ઢોર ચરાવવા બાબતે 6 શખ્સોએ આધેડ પર કર્યો હુમલો, સારવાર દરમિયાન મોત

દિલ્હી-NCRમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ રાજ્યોમાં આગામી 4 દિવસ વધુ ભારે, IMD આપી ચેતવણી

કે કવિતા પર ટિપ્પણીને લઈને તેલંગાણામાં અંધાધૂંધી, કોંગ્રેસના પૂર્વ નેતાના કાર્યાલયમાં તોડફોડ અને ગોળીબાર