લોડ થઈ રહ્યું છે...

અંજાર: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, 4ના મોત, એકની શોધખોળ યથાવત

image
X
અંજાર તાલુકાના ભવાનીપુરના તળાવમાં પાંચ બાળકો ડૂબ્યાના સમચાર મળી રહ્યા છે. જેમાંથી 4 બાળકોના મોત થયા છે. જ્યારે એક બાળકની ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા 4 બાળકોના મૃતદેહને બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. 5 બાળકો તળાવમાં ડૂબતા વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.

બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવ્યા હોસ્પિટલ
તળામાં ડૂબેલા બાળકોની શોધ ખોળ કરીને સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમે 4 મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા છે. આગળની કાર્યવાહી માટે અંજાર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. ત્યારે બાકી રહેલા બાળકની શોધ ખોળ કરવામાં આવી રહી છે.

બાળકો ન્હાવા માટે પડ્યા હતા તળાવમાં 
સ્થાનિકોના જણાવ્યા અનુસાર બાળકો બપોરના સમયે ભેંસો લેવા ગયા હતા, તડકો વધારે હોવાથી માલધારી પરિવારના 5 બાળકો તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. તળાવમાં ન્હાવા પડેલા તમામ બાળકો એક પછી એક ડૂબવા લાગ્યા હતા. સાંજે બાળકો ભેંસો લઈને ઘરે ન ભરતા પરિવારે બાળકોની શોધ કરી હતી, ત્યારે તેમને ખબર પડતા તેમણે તંત્રને જાણ કરી હતી. તંત્ર દ્વારા ચાર બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક બાળકની શોધ ખોળ કરી રહ્યા છે.

Recent Posts

અમદાવાદ શહેરમાં 16 PSIની કરાઈ આંતરિક બદલી, CP જી.એસ મલિકે બદલીનો કર્યો આદેશ

માનસરોવર તળાવ અને કૈલાશ પર્વતનું પવિત્ર મહત્વ ઈશ્વરની દેન

ભુજ: પાલારા નજીક બાઈક-ટ્રેઈલર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના કરૂણ મોત

કૈલાશ પર્વતના રહસ્યોનો ખુલાસો

અમદાવાદ: સાબરમતી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો, ફરાર 2 આરોપીઓ પોલીસના સકંજામાં

Gujarat Demolition: રાજ્યમાં 1 માર્ચથી 15 એપ્રિલ સુધી 99 ધાર્મિક દબાણો પર બુલડોઝર ફર્યુ, સમગ્ર મામલે હાઇકોર્ટમાં સુનાવણી

ભાવનગરમાં એમ્બરગ્રીસ માછલીની ઉલટીનો જથ્થો ઝડપાયો, કૂલ 1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત

Top News | દુશ્મન પર ગર્જશે 'રાફેલ' | tv13 gujarati

ભાજપ આવતીકાલે બાકી રહેલા જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામ કરશે જાહેર

વડોદરા: ઇન્કમટેક્સ ઓફિસના લાંચિયા સુપ્રિન્ટેન્ડેન્ટ 500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા