લોડ થઈ રહ્યું છે...

અંકલેશ્વર: નિવૃત શિક્ષક દંપતી સાથે ડિજિટલ એરેસ્ટ કરીને 16 લાખની છેતરપિંડી મામલે 2 ભેજાબાજ પોલીસના સકંજામાં

image
X
અંકલેશ્વરમાં નિવૃત શિક્ષક દંપતી ના ખાતામાંથી 2 કરોડનું મની લોન્ડરિંગ થયું છે તેમ કહી બે દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરી 16 લાખની ઠગાઈ કરાઈ હતી.પોલીસે સમગ્ર મામલે 2 ભેજાબાજને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર નિલમાધવ રેસીડેન્સી મા રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન રોહિતના મોબાઈલ નંબર પર શુક્રવારે 2 તારીખે સવારે 11 કલાકે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી વિડિયો કોલ આવતા દિલ્હી સાઇબર ક્રાઈમ પોલીસ માંથી વિનોય કુમાર બોલું છું તેમ કહી ધમકીઓ આપી હતી. તમારા ખાતામાંથી બે કરોડનું મની લોન્ડરિંગ થયું છે અને તેમાં તમે 20 ટકા કમિશન લીધું છે તેમ કહી બે દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરીને દંપતિ પાસેથી 16 લાખ પડાવી લેવામાં આવ્યાં હતાં. આ રૂપિયા બંસીલાલના નામે ઇન્ડસન્ડ બેંકમાં જમા કરાવડાવ્યાં હતાં.

આ મામલે ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં પોલીસે ગણતરીના સમયમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે રાજકોટના અદનાન  અબ્દુલ હૈદર મોગલ અને રાહુલ જગદીશ જાદવની ધરપકડ કરી છે.આરોપીઓએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે અને ઠગાઈથી મેળવેલ રૂપિયા કોને આપ્યા હતા એ દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

Recent Posts

સરકારી કચેરીના સમયમાં થશે ફેરફાર?

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી: 16 વર્ષથી બે પત્નીઓ સાથે સંસાર ચલાવતો યુવાન...3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, વાંચો Inside Story

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું-"ઓપરેશન સિંદૂર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે"

Surendranagar: વઢવાણમાં જાહેરમાં છરીના 8 થી 10 ઘા મારીને યુવતીની હત્યા, ગણતરીની કલાકોમાં હત્યારાની ધરપકડ

ગુજરાતમાં ડ્રગ્સ સામે જંગ! SMCએ 24 કલાકમાં અમદાવાદના જુહાપુરા, મહેસાણા અને સુરતમાં દરોડા પાડીને NDPSના વધુ ત્રણ કેસ નોંધ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે, તિરંગા યાત્રામાં અમિત શાહે આપી હાજરી, વિકાસલક્ષી કાર્યોને મળશે વેગ