લોડ થઈ રહ્યું છે...

ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 8ના મૃતદેહ મળ્યા

ગણેશ વિસર્જન કરતા સમયે આજે ગાંધીનગરના દહેગામ ખાતે દુર્ઘટના બની હતી. જેમાં મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન કરતી વખતે 10 લોકો ડૂબી ગયા હતા. જેમાંથી 8 લોકોના મૃતદેહ મળ્યાં છે. જ્યારે અન્ય 5 લોકોની શોધખોળ ચાલુ છે.

image
X
અત્યારે સમગ્ર દેશ ગણેશોત્સવના રંગમાં રંગાઇ ગયો છે. વિઘ્નહર્તાને ખૂબ લાડપ્રેમથી પોતાના ઘરે લોકો આવકારતા હોય છે. પરંતુ  જ્યારે તેમને વિદાય આપવાનો સમય આવે ત્યારે ખૂબ ભારે હૃદયથી તેઓ ગણપતિને વિદાય આપતા હોય છે. પરંતુ આ વર્ષે બાપ્પાની વિદાય ખૂબ જ દુ:ખદાયક સાબિત થઇ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં વિવધ જગ્યાએ 17 લોકો નદીમાં ડૂબી ગયા છે. જંમાથી 15 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે અન્ય લોકોની હજુ પણ શોધખોળ ચાલુ છે. 

આજે  દહેગામના વાસણા સોગઠી ગામમાં પણ ગણેશ વિસર્જન દરમિયાન કરુણાંતિકા સર્જાઇ. જેમાં 10 લોકો મેશ્વો નદીમાં ડૂબી ગયા. જેમાંથી 8 મૃતદેહ મળ્યાં છે જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ શરૂ છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. 
અત્યાર સુધી કુલ 12 લોકોનાં ડૂબી જવાથી મોત
ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં ગણેશવિસર્જન સમયે 10 લોકો ડૂબ્યા, પાંચનાં મોત થયાં છે, જ્યારે અન્ય પાંચની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ગણેશવિસર્જન દરમિયાન બનેલી આ ચોથી દુર્ઘટના છે, જેમાં કુલ 15 લોકોનાં મોત નીપજી ચૂક્યાં છે. બુધવારે પાટણમાં વિસર્જન સમયે ડૂબી જતાં 4 લોકોનાં, જ્યારે નડિયાદમાં 2 અને જૂનાગઢમાં 1 યુવકનું મોત નીપજ્યું હતું. 
ઉલ્લેખનીય છે કે, ગણેશવિસર્જન સમયે અકસ્માતે 10 લોકો ડૂબ્યા બાદ સ્થાનિક દ્વારા 8 યુવકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેઓની શોધખોળ માટે NDRFની ટીમ પણ બોલાવવામાં આવી છે. પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

Recent Posts

Ahmedabad: ડિજિટલ ફ્રોડનો શિકાર બન્યા મહિલા જજ! કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Los Angeles: પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર બોમ્બ બ્લાસ્ટ! અનેક પોલીસ કર્મીઓના મોતની આશંકા, તપાસના ચક્રોગતિમાન

TOP NEWS | બંગાળને 5 હજાર કરોડની ભેટ |tv13Gujarati

અમરેલી: વડિયાના ઢૂંઢિયા પીપળીયામાં ડબલ મર્ડર, લૂંટના ઇરાદે ખેડૂત વૃદ્ધ દંપતીની હત્યા થઈ હોવાની પોલીસને આશંકા

વાહક જન્ય રોગો પર નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની સવિશેષ ઝુંબેશ, 21 જિલ્લામાં જંતુનાશક દવા છંટકાવનો પ્રથમ તબક્કો પૂર્ણ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54.90 ટકા જળસંગ્રહ, જાણો સીઝનનો કેટલા ટકા નોંધાયો વરસાદ

અમે નકલી કેસોથી ડરીશું નહીં… AAP નેતા આતિશીના ભાજપ અને ED-CBI પર પ્રહાર

પશુપાલકોની શું છે નારાજગી...? સાબરડેરીએ આપેલા ભાવફેરની જાહેરાત બાદ પણ વિરોધ યથાવત

Rajkot: લોકમેળાને લઈને મહત્વના સમાચાર, રાજ્ય સરકારે SOPના નિયમોમાં છૂટછાટ સાથે આપી મંજૂરી

ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવારે યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ