લોડ થઈ રહ્યું છે...

પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલો, 4 સહિત 13ના મોત

બલૂચિસ્તાનમાં ચીની એન્જિનિયરો લઈ જઈ રહેલા કાફલા પર આંતકી હુમલો થયો છે. આ હુમલામાં 4 ચીની નાગરિકો અને 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

image
X
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચીની એન્જિનિયરો લઈ જઈ રહેલા કાફલા પર આંતકી હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. પાકિસ્તાનના બે સુરક્ષાકર્મી ઘાયલ થયા છે. તેમજ આ હુમલો આજે ગ્વાદરમાં ફકીર બ્રિજ પર થયો હતો. જે પાકિસ્તાને આ હુમલાની પુષ્ટિ કરી છે. આની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી દ્વારા લેવામાં આવી છે. આ હુમલામાં 4 ચીની નાગરિકો અને 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને આ ઘટનામાં  23 ચીની એન્જિનિયરો ત્રણ એસયુવી અને એક વેનના કાફલામાં આગળ વધી રહ્યા હતા. તે દરમિયાન તેના પર આંતકી હુમલો શરૂ થયો હતો. અને હુમલા દરમિયાન હુમલાખોરોએ IED વિસ્ફોટ પણ કર્યો અને વાન પર ફાયરિંગ કર્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્વાદરના ફકીર બ્રિજ પર ચીની એન્જિનિયરોને લઈ જઈ રહેલા 7 વાહનોના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંને તરફથી સતત વિસ્ફોટ અને ગોળીબાર થઈ રહ્યો હતો. આ હુમલા બાદ ગ્વાદરને સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું અને કોઈપણ વાહનને શહેરમાં જવા અને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

BLAની આત્મઘાતી ટુકડીએ ચીની એન્જિનિયરોના કાફલા પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. તથા BLAએ દાવો કર્યો છે કે, હુમલો હજુ પણ ચાલુ છે અને વધુ માહિતી પછી જાહેર કરવામાં આવશે. અને ચીની એન્જિનિયરોના કાફલા પર હુમલા બાદ ગ્વાદરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો ચાલુ છે. બંદરને કોર્ડન કરી દેવામાં આવ્યા છે કારણ કે તમામ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યા છે.

Recent Posts

ઈરાનમાં અમેરિકાના હુમલા પર મહેબૂબા મુફ્તી થયા ગુસ્સે, ભારતની વિદેશ નીતિ પર પણ ઉઠાવ્યા સવાલો

અમેરિકાના બોમ્બમારા બાદ ઈરાને ઈઝરાયલ પર તેલ અવીવ સહિત અનેક શહેરો પર કર્યો હવાઈ હુમલો

ઈરાન અમેરિકી નૌકાદળને બનાવશે નિશાન? જાણો અમેરિકાના હુમલા પર ઈરાનની પ્રતિક્રિયા

ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો મોટો હુમલો, ત્રણ ન્યુક્લિયર સાઇટ ઉપર ફેંક્યા બંકર બસ્ટર બોમ્બ

ઇઝરાયલે ઇરાનમાં લક્ષ્યાંકિત હવાઈ હુમલો કર્યો, વરિષ્ઠ લશ્કરી અધિકારી સઈદ ઇઝાદી માર્યા ગયા

ઓફિસ ગયા વગર એક વ્યક્તિને મળ્યા 26 લાખ રૂપિયા, UAE કોર્ટે કેમ આપ્યો આટલો અનોખો નિર્ણય? જાણો

યુદ્ધગ્રસ્ત ઈરાનથી 290 ભારતીયો ભારત પાછા ફર્યા, લગાવ્યા હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા

ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઇરાનમાં જોરદાર ભૂકંપ, યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ગભરાટ, જાણો તીવ્રતા

ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઇરાને ફરી પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું, 1 હજાર ભારતીયોને મોકલશે દિલ્હી

ઈરાને વાતચીત માટે મૂકી શરત, વિદેશ મંત્રી અરાઘચીએ કહ્યું-'ઈઝરાયલી હુમલો ચાલુ રહેશે ત્યાં સુધી કોઈની સાથે નહીં કરે વાટાઘાટો'