ગુજરાત સરકારે વેપારીઓને રાહત આપવા વ્યવસાય વેરો નાબૂદ કર્યાના સોશિયલ મીડિયાના અહેવાલ એક ચર્ચાનો વિષય બન્યો હતો. વ્યવસાય વેરો નાબૂદ કર્યાના સોશિયલ મીડિયાના અહેવાલને સરકારના સત્તાવાર વર્તુળોએ પાયાવિહોણા ગણાવ્યા છે.
ગુજરાત સરકારે વેપારીઓને રાહત આપવા વ્યવસાય વેરો નાબૂદ કર્યાના સોશિયલ મીડિયાના અહેવાલને સરકારના સત્તાવાર વર્તુળોએ પાયાવિહોણા ગણાવ્યા છે. વ્યવસાય વેરો યથયાવત હોવાનું સરકારી સૂત્રોએ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. સરકારના વર્તુળોએ એક મીડિયાના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સામાન્ય રીતે આવા મોટા નિર્ણયની જાહેરાત બજેટમાં થતી હોય છે. બે મહિના પહેલા રાજ્યનું બજેટ રજૂ થયું ત્યારે વ્યવસાય વેશ નાબુડીની કોઈ જાહેરાત કરવામાં આવેલ નહીં, તેમજ હાલના તબક્ક આવી કોઈ વિચારણા પણ નથી. સોશિયલ મીડિયામાં અગાઉ અને આજે વ્યવસાય વેરા નાબૂદી બાબતે વહેતા થયેલા અહેવાલમાં કંઈ સત્ય નથી તેમ આ વર્તુળોએ ભારપૂર્વક જણાવ્યું હતું.
વ્યવસાય વેરો નાબૂદીથી કેવા પ્રકારનો ફાયદા થઇ શકે?
નાના વેપારીઓ, સ્ટાર્ટઅપ્સ, ફ્રીલાન્સરો વગેરે માટે વ્યવસાય વેરો એક પ્રકારનું વાર્ષિક ખર્ચ છે. તેને દૂર કરવાથી તેમની આવકમાં સીધી બચત થાય છે.
વેરો વસૂલાત માટેનો વ્યવસ્થાપન ખર્ચ અને કાગળ કામગીરી ઘટે છે. સરકારને પણ ઓછું ખર્ચ થાય છે અને વ્યવસ્થાપન સરળ બને છે.
- નવી બિઝનેસ શરૂ કરવાવાળાઓ માટે પ્રોત્સાહન
જેમ જેમ ખર્ચ ઓછો થાય, નવું બિઝનેસ શરૂ કરવું આસાન બને છે. ખાસ કરીને યુવા ઉદ્યોગકારોને આર્થિક રીતે રાહત મળે.
- લાઇસન્સ અને રજિસ્ટ્રેશનની વિલંબતા ઘટાડે
કેટલાક શહેરોમાં વ્યવસાય વેરો ભર્યા વગર અન્ય લાઇસન્સ મળતું નથી. આવા અવરોધો દૂર થવાથી કાર્ય સમયસર શરૂ કરી શકાય છે.
- ટેક્સ સુધારાની દિશામાં પગલું
ટેક્સ સિસ્ટમ સરળ અને સાફ હોવી જોઈએ. આ વેરો ઘણીવાર નાના દરે પણ હોય છે, પણ તેને ભરવાનો અને રિટર્ન ફાઇલ કરવાનો લોકોમાં મુશ્કેલીઓનો અનુભવ થતો હોય છે. જોકે વ્યાપારીઓના મતે, જો વ્યવસાય વેરો નાબૂદી થાય તો તે રાજ્ય માટે એક સકારાત્મક પગલું ગણવામાં આવ્યું છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
0029Va5h5lFLikgFQ1gJxZ2U