લોડ થઈ રહ્યું છે...

તેલંગાણામાં પછાત વર્ગો માટે અનામતમાં સીએમ રેવંત રેડ્ડીએ કર્યો વધારો, 23થી વધારી કરી 42 ટકા

image
X
તેલંગાણાની કોંગ્રેસ સરકારે રાજ્યમાં પછાત જાતિ અનામત 23% થી વધારીને 42% કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આજે ​એટલે કે 17 માર્ચે આ જાહેરાત કરી છે. આ સાથે રાજ્યમાં અનામતની કુલ મર્યાદા હવે વધીને 62 ટકા થઈ જશે, જે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત 50 ટકાની મર્યાદા કરતા વધુ છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં OBC ક્વોટા 23 ટકાથી વધારીને 42 ટકા કરવાનું વચન આપ્યું હતું. રેડ્ડીએ સોશિયલ મીડિયા પર આ વિશે એક લાંબી પોસ્ટ પણ મૂકી છે અને તેના વિશે માહિતી આપી છે.


વિધાનસભામાં સીએમે કરી જાહેરાત
તેલંગાણા વિધાનસભામાં આ જાહેરાત કરતા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું, 'કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો પછાત વર્ગો માટે અનામત વધારીને 42 ટકા કરવામાં આવશે. સત્તા સંભાળ્યા પછી તરત જ અમારી સરકારે 4 ફેબ્રુઆરી, 2024 ના રોજ પછાત જાતિની વસ્તી ગણતરી શરૂ કરી. પાછલી સરકારે રાજ્યપાલને BC અનામત વધારીને 37 ટકા કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો પરંતુ અમારી સરકાર અગાઉના પ્રસ્તાવને પાછો ખેંચી રહી છે અને શિક્ષણ, રોજગાર અને રાજકીય તકોમાં પછાત જાતિના લોકોને 42 ટકા અનામત આપવા માટે નવો પ્રસ્તાવ મોકલી રહી છે.

વિપક્ષી પક્ષોને પણ સાથ આપવા કરી અપીલ
તેમણે કહ્યું, "ગૃહના નેતા તરીકે, હું ખાતરી આપું છું કે હું પછાત વર્ગોને અનામત લાભો પૂરા પાડવા માટે સક્રિય પગલાં લઈશ અને 42 ટકા અનામત પ્રાપ્ત કરવામાં નેતૃત્વ કરીશ." આ પ્રસંગે, રેડ્ડીએ તમામ પક્ષોના નેતાઓને તેમની સાથે આવવા અને આ મુદ્દા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા અપીલ કરી છે. જેથી અનામતને કાનૂની રક્ષણ મળી શકે. તેમણે કહ્યું કે, "ચાલો આપણે BC અનામતને 42 ટકા સુધી વધારવા માટે જરૂરી કાનૂની મદદ લઈએ અને જ્યાં સુધી પછાત વર્ગો માટે 42 ટકા અનામત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે શાંત બેસીશું નહીં. અમે કામરેડ્ડી મેનિફેસ્ટો માટે પ્રતિબદ્ધ છીએ.'

તમને જણાવી દઈએ કે તેલંગાણામાં પછાત વર્ગની વસ્તી લગભગ 46.25 ટકા છે, જ્યારે અનુસૂચિત જાતિની વસ્તી 17.43 ટકા અને અનુસૂચિત જનજાતિની વસ્તી 10.45 ટકા છે.

Recent Posts

મુંબઈ: વિક્રોલીના બુદ્ધ વિહારમાંથી 12 કિલોની પંચધાતુની મૂર્તિની ચોરી, પોલીસે 24 કલાકમાં ઓપરેશન પાર પાડ્યું

Delhi Blast Case : અલ ફલાહ યૂનિવર્સિટી પર ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, UGCની ફરિયાદના આધારે 2 FIR નોંધાઈ

તેલંગાણા હાઈકોર્ટની વેબસાઈટ હેક, કાનૂની દસ્તાવેજોને બદલે ખુલી સટ્ટા રાઇડ

Top News | રાજસ્થાનમાં ભારે ઠંડીની અસર | tv13 gujarati

મુંબઈમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ડોંગરી પોલીસે ઇથોપિયન કનેક્શનનો કર્યો પર્દાફાશ, રૂપિયા 15 કરોડનું કોકેન જપ્ત, 3ની ધરપકડ

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય ઉર્જા મંત્રી સાથે કરી મુલાકાત, વીજ વિતરણ યોજનાને લઇ મળી મોટી ભેટ

ગાંધીનગરની ગોસીપ..

Delhi Blast પહેલા વજીરપુર વિસ્તારમાં પહોંચ્યો હતો આતંકી ઉમર, NIAની તપાસમાં થયો સૌથી મોટો ખુલાસો

ગુજરાત CID ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ગુના અને ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ, ત્રણની ધરપકડ

Narmada: ડેડિયાપાડામાં PM મોદીનો હુંકાર, કહ્યું-"કોંગ્રેસે 6-6 દાયકા સુધી આદિવાસી સમાજને તેમના હાલ પર છોડી દીધો"