શું ઉનાળામાં તમારા ચાંદીના ઘરેણાં પડી જાય છે કાળા, તો આ ટિપ્સથી બનાવો નવા
ભારતમાં ઘરેણાં પ્રત્યે લોકોને ખૂબ જ લગાવ છે, પરંતુ કાળા પડવાથી ચાંદીના દાગીના જૂના દેખાવા લાગે છે. તેથી તેને ફરી ચમકાવા માટે જવેલર્સ પાસે જવું પડે છે. પરંતુ જો તમારા ઘરેણાં કાળા થઈ ગયા છે અને જૂના દેખાઈ રહ્યા છે, તો તમે ઘરે જ કેટલાક સરળ ઉપાયો અજમાવીને ફરી તમારા ઘરેણાંને થોડા જ સમયમાં નવા દેખાય તેવા બનાવી શકો છો.
જો ઘરેણાંને યોગ્ય રીતે બંધ કરીને રાખવામાં ના આવે તો તે કાળા થઈ શકે છે. આ ઉપરાંત, ચાંદીના ઘરેણા કાળા થવા પાછળ ઘણા કારણો છે, જેમ કે જ્યારે હવામાં હાજર સલ્ફર અને ઓક્સિજન એકસાથે પ્રતિક્રિયા આપે છે, ત્યારે ચાંદીના દાગીના કાળા થઈ શકે છે, તેને આપડે ઓક્સિડેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ખારા કે ક્લોરિનેટેડ પાણીને કારણે પણ ચાંદીના દાગીનાની ચમક પણ ઓછી થઈ જાય છે.
ઉનાળામાં ઘણા લોકો ચાંદીના દાગીના કાળા થવાની ફરિયાદ કરતા હોય છે. આ ઋતુમાં, તેલ અને પરસેવાના કારણે ઘરેણાં કાળા થઈ શકે છે. આ ઉપરાંત, પરફ્યુમ અને કેટલાક સૌંદર્ય પ્રસાધનોને કારણે પણ ઘરેણાં કાળા થઈ જાય છે. ત્યારે તમે ઘરે જ ચાંદીના દાગીનાને કેવી રીતે સાફ કરી શકો છો અને તેને ફરીથી નવા જેવા કેવી રીતે બનાવી શકો છો. તે અહિ જાણીશું.
લીંબુ અને મીઠાનો કરો ઉપયોગ
ચાંદીના દાગીના સાફ કરવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. લીંબુના રસમાં મીઠું ભેળવીને પેસ્ટ બનાવો અને તેને ઘરેણાં પર લગાવો અને લગભગ 20 મિનિટ માટે રહેવા દો. આ પછી, ફરીથી થોડો લીંબુનો રસ લગાવો અને દાગીનાને નરમ બ્રશથી સાફ કરો અને ત્યાર પછી તેને ધોય નાખો, ધોયા પછી, નરમ કપડાથી પાણી સૂકવી દો.
એલ્યુમિનિયમ ફોઇલ અને ગરમ પાણી
ચાંદીના દાગીના સાફ કરવા માટે, પાણી ગરમ કરો. આ પછી, એલ્યુમિનિયમ ફોઇલના ટુકડા કરી લો, નાના ગોળા બનાવો અને તેને પાણીમાં નાખો. તેમાં ખાવાનો સોડા ઉમેરો અને ચાંદીના દાગીના તેમાં બોળી દો. ઓછામાં ઓછા 20 મિનિટ પછી તેને દૂર કરો અને બ્રશથી હળવા હાથે સાફ કરો.
ખાવાનો સોડા (બેકિંગ સોડા)
બેકિંગ સોડાથી પણ ઘરેણાં સાફ કરી શકો છો. આ માટે, એક કપ સફેદ સરકોમાં બેકિંગ સોડા ઓગાળીને તમારા ઘરેણાં તેમાં ડુબાડો. આનાથી, ઘરેણાં પર જામેલી ગંદકી આપમેળે સાફ થઈ જશે અને ઘરેણાં ચમકવા લાગશે. જો તમે ઈચ્છો તો, તમે સોફ્ટ બ્રશથી પણ ઘરેણાં સાફ કરી શકો છો.
આ ભૂલો ન કરવી
ચાંદીના દાગીના સાફ કરવા માટે સખત બ્રશ કે સ્ક્રબિંગ પેડનો ઉપયોગ ન કરવો, નહીં તો દાગીના પર તિરાડ આવશે. ઘરેણાં સાફ કરવા માટે બ્લીચ અથવા હાઇડ્રોક્લોરિક એસિડ જેવા કોઈપણ સખત રસાયણનો ઉપયોગ કરશો નહીં. ઘરેણાંને ખૂબ ગરમ પાણીમાં ઉકાળો નહીં. આનાથી ઘરેણાંના આકાર અને ડિઝાઇનને પણ નુકસાન થઈ શકે છે. તેથી ચાંદીના દાગીના સાફ કરવા માટે નોર્મલ વસ્તુનો ઉપયોગ કરવો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats