શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ચૈતર વસાવાની કાઢી ઝાટકણી, અલગ ભીલ પ્રદેશની માંગણી મામલે જાણો શું કહ્યું
શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે કહ્યું કે, ભીલ પ્રદેપ્રદેશ બનાવવું હોય તો અમે અને મનસુખભાઈ ભેગા થઈને મોદી સાહેબને રજૂઆત કરીએ તો કાલે કરી દઈએ. પણ અલગ ભીલ પ્રદેશ બનાવીને ચલાવવાનું કેવી રીતે, રેવન્યુ જનરેટ કેવી રીતે કરવાની?
શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે અલગ ભીલ પ્રદેશની માંગણી કરનારા ચૈતર વસાવાને આડે હાથે લીધા અને આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે. જે છેતરવાનું કામ કરે છે. જે આદિવાસીઓને છેતરી જશે.
ચૈતર વસાવાની અલગ ભીલપ્રદેશની માંગણીને નકારતા કહ્યું કે, લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા. ભારત દેશ એકતામાં માનનારો દેશ છે..પણ કેટલાક લોકો એકતાને તોડવાનું કામ કરે છે.
દેશમાં ભાગલાં પાડવાની વાત, અલગતાવાદ, સમાજને અલગ પાડવાની વાત કેટલાક લોકો ગામે ગામ કરી રહ્યા છે. આદિવાસી સમાજ માટે જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજના સરકાર આપે છે. કયા હક્કોની વાતોએ અલગતાવાદીઓ કરે છે. કેટલાક લોકો અલગ ભીલ પ્રદેશની માંગણી કરે છે..કયા હિસાબે માંગો છો તમે? કોંગ્રેસની સરકારમાં કેટલાક નેતાઓએ અલગ ભીલ પ્રદેશની માંગ કરી હતી. ત્યારે ભીલ પ્રદેશનો મુદ્દો ડબ્બામાં મૂકી દીધો હતો આ ચૈતર વસાવા. આ છેતરવાનું નામ ભ્રમિત કરાવવાનું નામ છે. જે લોકોને છેતરવા ફરી મુદ્દો ઉછાળે છે.
ભીલ પ્રદેશ બનાવવા તો કાલે રજૂઆત કરીએ
અલા, ભીલ પ્રદેપ્રદેશ બનાવવું હોય તો અમે અને મનસુખભાઈ ભેગા થઈને મોદી સાહેબને રજૂઆત કરીએ તો કાલે કરી દઈએ. પણ અલગ ભીલ પ્રદેશ બનાવીને ચલાવવાનું કેવી રીતે, રેવન્યુ જનરેટ કેવી રીતે કરવાની?