લોડ થઈ રહ્યું છે...

રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોને મળશે વ્યાજ વગર લોન, જયેશ રાદડિયાએ કરી જાહેરાત

રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકના કાર્યક્ષેત્ર રાજકોટ તથા મોરબી જિલ્લાના આશરે સવા બે લાખ જેટલા ખેડુતોને 1000રૂ કરોડનું વગર વ્યાજનું ધિરાણ કરવાનું આયોજન કરેલ છે. ખેડુતોને આ 0% વ્યાજે ધિરાણ કરવાથી જિલ્લા સહકારી બેંકને અંદાજે 100 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો બોજ પડશે જે બોજ જિલ્લા બેંક ઉઠાવશે તેવી જાહેરાત કરી હતી.

image
X
 રાજકોટ જિલ્લા બેંક દ્વારા ખેડૂતોને વગર વ્યાજની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાયેલ હોય ત્યારે રાજકોટ જીલ્લા સહકારી બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તથા બેંકના તમામ ડિરેકટરોએ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડુતોની પડખે ઉભા રહેવાનો નિર્ણય કરેલ છે અને તેમને આ માટે રૂ.1000 કરોડની વગર વ્યાજની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે આજે બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે,  રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકના કાર્યક્ષેત્ર રાજકોટ તથા મોરબી જિલ્લાના આશરે સવા બે લાખ જેટલા ખેડુતોને 1000 કરોડ રૂપિયાનું વગર વ્યાજનું ધિરાણ કરવાનું આયોજન કરેલ છે. ખેડુતોને આ 0% વ્યાજે ધિરાણ કરવાથી જિલ્લા સહકારી બેંકને અંદાજે 100 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો બોજ પડશે જે બોજ જિલ્લા બેંક ઉઠાવશે તેવી જાહેરાત કરી હતી.
રાજકોટ અને મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડુતોના તૈયાર પાકોને નુકશાન થયેલ છે તેમજ સતત પડેલ અતિભારે વરસાદને કારણે ખેડુતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચી સહિતના તૈયાર પાકને ખુબ જ નુકશાન થયેલ છે. જે બાબતને ધ્યાને લઈ ખેડુતોની હરહંમેશ ચિંતા કરતાં રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના તમામ સભ્યઓએ નિર્ણય કરી રાજકોટ અને મોરબી જિલ્લાની બેંક સાથે જોડાયેલ ખેતી વિષયક સહકારી મંડળીઓમાંથી ધિરાણ મેળવતા ખેડુતોને પાક નુકશાની સામે 0% એ  50000 રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી ખેડુતોની વહારે આવેલ છે.

ખેડુતોને પુરી પાડવાની આ લોનની અંદાજીત કુલ રકમ 1000 કરોડ રૂપિયા જેટલી થશે, જેના ઉપર થનાર 100 કરોડ રૂપિયા જેટલું વ્યાજ બેંક વહન કરશે. જેથી ખેડુતોને 100 કરોડ રૂપિયાનો ફાયદો થશે. આમ ખેડુતોની હરહંમેશ ચિંતા કરનાર વિઠલભાઈ રાદડિયાના પગલે ચાલી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા તથા તેમની ટીમ એ અસરગ્રસ્ત ખેડુતો માટે તાકીદની 0% વ્યાજે લોનની જાહેરાત કરી રાજકોટ તથા મોરબી જિલ્લાના અસરગ્રસ્ત ખેડુતોને અતિવૃષ્ટિ સામે ખુબ જ સહાયરૂપ બનેલ છે.


Recent Posts

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાનો સર્વે, 79% લોકો સર્વિસથી નાખુશ

રાજ્યના 6 જિલ્લામાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો કયાં જિલ્લાઓમાં પડશે વરસાદ

ઈરાનમાં અમેરિકાના હુમલા પર મહેબૂબા મુફ્તી થયા ગુસ્સે, ભારતની વિદેશ નીતિ પર પણ ઉઠાવ્યા સવાલો

પહેલગામ હુમલામાં NIAને મળી મોટી સફળતા, આતંકવાદીઓને આશ્રય આપનારા 2 ગુનેગારોની ધરપકડ

અમદાવાદ વિમાન દુર્ઘટના: 8 પીડિત પરિવારોના પહેલા નમૂના સાથે DNA મેચ ન થયો, બીજો નમૂનો મંગાવવામાં આવ્યો

અમેરિકાના બોમ્બમારા બાદ ઈરાને ઈઝરાયલ પર તેલ અવીવ સહિત અનેક શહેરો પર કર્યો હવાઈ હુમલો

ઈરાન અમેરિકી નૌકાદળને બનાવશે નિશાન? જાણો અમેરિકાના હુમલા પર ઈરાનની પ્રતિક્રિયા

ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો મોટો હુમલો, ત્રણ ન્યુક્લિયર સાઇટ ઉપર ફેંક્યા બંકર બસ્ટર બોમ્બ

ગુજરાત કોંગ્રેસના જિલ્લા શહેર પ્રમુખોની જાહેરાત, જાણો કોને કયા જિલ્લાની મળી જવાબદારી, વાંચો લિસ્ટ

Operation Sindhu: યુદ્ધ વચ્ચે ભારતે ફરી બતાવી તાકાત! અત્યાર સુધીમાં 827 ભારતીય નાગરિકોને ઈરાનથી સુરક્ષિત રીતે સ્વદેશ વાપસી