લોડ થઈ રહ્યું છે...

સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ જે હોટલમાં રોકાયા ત્યાં આગ, IPL 2025 દરમિયાન મોટી દુર્ઘટના! જાણો સમગ્ર મામલો

image
X
સનરાઇઝર્સ હૈદરાબાદનું IPL 2025માં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. ત્યારે ટીમનો આગામી મુકાબલો 17 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં એક અહેવાલ મુજબ, સોમવારે સવારે હૈદરાબાદની ટીમ જે હોટલમાં છે તે હોટલમાં આગ લાગી હતી. જોકે, મહત્વની વાત એ છે કે બધા ખેલાડીઓ સુરક્ષિત છે.

સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ હૈદરાબાદના બંજારા હિલ્સમાં રોકાયા છે. અહીં પાર્ક હયાત હોટેલના પહેલા માળે આગ લાગી હતી. જોકે, ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી આગ પર કાબુ મેળવાયો હતો. આગને કારણે હોટલ અને તેની આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.  

ખેલાડીઓને બીજી હોટલમાં ખસેડવામાં આવ્યા 
એક અહેવાલ મુજબ, આગ લાગ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓને બીજી હોટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ લાગ્યા પછી, હોટલની અંદરના લોકો બહાર દોડી આવ્યા હતા. મહત્વની વાત એ હતી કે ફાયર બ્રિગેડના આગમન પછી મામલો સંભાળી લેવામાં આવ્યો હતો.

આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે આ રીતે પ્રદર્શન કર્યું-
આ સિઝનમાં હૈદરાબાદનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. ટીમે 6 મેચ રમી છે અને માત્ર 2 જીતી છે. જ્યારે 4 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સને હરાવ્યા હતા. જ્યારે તેમને લખનૌ, દિલ્હી, કોલકાતા અને ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો. જોકે, ટીમે છેલ્લી મેચમાં શાનદાર વાપસી કરી હતી. તેણે પંજાબ કિંગ્સને હરાવ્યું. આ મેચમાં અભિષેક શર્માએ સદી ફટકારી હતી.

Recent Posts

GT vs RR: રાજસ્થાને ગુજરાતને 8 વિકેટથી હરાવ્યું, વૈભવ સૂર્યવંશી-યશસ્વી જયસ્વાલની ધમાકેદાર ઈનિંગ

માનસરોવર તળાવ અને કૈલાશ પર્વતનું પવિત્ર મહત્વ ઈશ્વરની દેન

માનસરોવર તળાવ અને કૈલાશ પર્વતનું પવિત્ર મહત્વ ઈશ્વરની દેન

કૈલાશ પર્વતના રહસ્યોનો ખુલાસો

Top News | દુશ્મન પર ગર્જશે 'રાફેલ' | tv13 gujarati

ભારતીય સેનાએ પાકિસ્તાન સામે લડવાનો કર્યો ઇનકાર? આ વીડિયો શેર કરી પડોશીઓ ફેલાવી રહ્યા છે અફવા

કૈલાશ માનસરોવર યાત્રા: એક પડકારજનક છતાં આધ્યાત્મિક યાત્રા

હિન્દુ ધર્મમાં કૈલાશ પર્વતનું ખૂબ મહત્વ

જસપ્રીત બુમરાહના દીકરાની લોકોએ ઉડાવી મજાક, સંજનાએ ગુસ્સે થઈ ઇન્સ્ટાગ્રામ પર લગાવી ફટકાર

માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના 12 દિવસના રિમાન્ડ, પૂછપરછ દરમિયાન ખુલી શકે મોટા રહસ્યો