લોડ થઈ રહ્યું છે...

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સરકારે બનાવ્યો કંટ્રોલ રૂમ, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર

image
X
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત સરકાર સંપૂર્ણપણે સતર્ક છે. ઈરાનમાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ માટે એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. આ કંટ્રોલ રૂમ ઈરાનમાંથી બહાર કાઢવામાં આવી રહેલા ભારતીયો માટે 24 કલાક તેની સેવાઓ પૂરી પાડશે.

આ માટે સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત તમે સરકાર પાસેથી તમારા પ્રિયજનો વિશે મેઇલ દ્વારા માહિતી એકત્રિત કરી શકો છો. આ હેલ્પલાઈન નંબરો નીચે મુજબ છે.

૧૮૦૦૧૧૮૭૯૭ (ટોલ ફ્રી)
+૯૧-૧૧-૨૩૦૧૨૧૧૩
+૯૧-૧૧-૨૩૦૧૪૧૦૪
+૯૧-૧૧-૨૩૦૧૭૯૦૫
+૯૧-૯૯૬૮૨૯૧૯૮૮ (વોટ્સએપ)
situationroom@mea.gov.in (મેઇલ આઈડી)

વધુમાં, ઈરાનની રાજધાની તેહરાનમાં ભારતીય દૂતાવાસે નીચે આપેલ સંપર્ક વિગતો સાથે ૨૪x૭ ઇમરજન્સી હેલ્પલાઇનની સ્થાપના કરી છે.
ફક્ત કૉલ્સ માટે:
+૯૮ ૯૧૨૮૧૦૯૧૧૫
+૯૮ ૯૧૨૮૧૦૯૧૦૯
વોટ્સએપ માટે:
+૯૮ ૯૦૧૦૪૪૫૫૭
+૯૮ ૯૦૧૫૯૯૩૩૨૦
+૯૧ ૮૦૮૬૮૭૧૭૦૯
બંદર અબ્બાસ:
+૯૮ ૯૧૭૭૬૯૯૦૩૬
⁠ઝાહેદાન:
+૯૮ ૯૩૯૬૩૫૬૬૪૯
cons.tehran@mea.gov.in (મેઇલ આઈડી)

આ રીતે ભારતીયોને બહાર કાઢવામાં આવી રહ્યા છે
ભારતે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરી વધુ તીવ્ર બનાવી છે. પ્રથમ બેચમાં સોમવારે રાત્રે 100 ભારતીય નાગરિકોને ઈરાનથી રોડ માર્ગે આર્મેનિયા મોકલવામાં આવ્યા છે. નવી દિલ્હી અને તેહરાન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો બાદ આ પગલું શક્ય બન્યું છે.

Recent Posts

લંડનમાં અમદાવાદ જેવી પ્લેન દુર્ઘટના, ટેક ઓફ સમયે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ સહિતની ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે

અરવલ્લીના મોડાસામાં tv13 ગુજરાતીનો મહાસન્માન પુરસ્કાર સમારોહ, ખેડૂતો, શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓનું વિશેષ સન્માન

Mehsana: મિત્રના ત્યાં ITની રેડ પડી છે, પૈસા છોડાવવા હોય તો... રૂપિયા 21 લાખ પડાવનારો નકલી IAS અધિકારી ઝડપાયો

સુરત: જૂગારધામ પર દરોડા મામલે કાર્યવાહી, તરસાડી નગરના 3 ભાજપના હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

ગુજરાતમાં અત્યાર સુધીમાં 117 તાલુકામા મેઘો મૂશળધાર, સૌથી વધુ બનાસકાંઠાનાં દાંતામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો

CM મોહન યાદવનું દુબઈમાં ઉષ્માભર્યું સ્વાગત, રોકાણકારો સાથે કરશે વાત

દિલ્હી-NCRમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ રાજ્યોમાં આગામી 4 દિવસ વધુ ભારે, IMD આપી ચેતવણી

કે કવિતા પર ટિપ્પણીને લઈને તેલંગાણામાં અંધાધૂંધી, કોંગ્રેસના પૂર્વ નેતાના કાર્યાલયમાં તોડફોડ અને ગોળીબાર

વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રૂ.212 કરોડના ખર્ચે મુજપૂર પાસે નવો ટુ-લેન હાઈલેવલ પુલ બનાવાશે

ખાલિસ્તાનીઓ વિરુદ્ધ અમેરિકાની મોટી કાર્યવાહી, FBIએ 8 શંકાસ્પદ શખ્સોની કરી ધરપકડ