Gujarat Demolition: રાજ્યમાં 1 માર્ચથી 15 એપ્રિલ સુધી 99 ધાર્મિક દબાણો પર બુલડોઝર ફર્યુ, સમગ્ર મામલે હાઇકોર્ટમાં સુનાવણી
રાજ્યમાં ગેરકાયદે દબાણને લઇ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ, સુરત, અમદાવાદ, મોરબી, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ સહિતના શહેરોમાં ગોરકાયદે બાંધકામ અને ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર જગ્યાઓ પર ધાર્મિક સ્થળોના દબાણો અંગેના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓમોટો પણ સુનાવણી યોજાઈ હતી. રાજ્ય સરકારે આ મુદ્દે હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું. રાજ્યમાં 3 માર્ચથી 15 એપ્રિલ સુધીમાં 99 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યાં છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 66 અનધિકૃત ધાર્મિક બાંધકામ હટાવવામાં આવ્યાં છે.
રાજ્યમાં જાહેર જગ્યાઓ પર થયેલા ધાર્મિક સ્થળોના દબાણ મામલે સુઓ મોટો અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારે ધાર્મિક દબાણ મામલે થયેલ કાર્યવાહીની એફિડેવિટ કોર્ટમાં ફાઇલ કરી છે. સમગ્ર રાજ્યના કુલ અનઅધિકૃત બાંધકામોમાંથી 70 ટકા 5 જિલ્લામાં અને 2 મ્યુનિ કોર્પોરેશનમાં હોવાનો સરકારનો દાવો છે. 1 માર્ચથી 15 એપ્રિલ સુધી 99 ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા વિસ્તારમાં 66 અનધિકૃત ધાર્મિક બાંધકામ જ્યારે 8 મહાનગરપાલિકા 33 અનધિકૃત ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. 49 ધાર્મિક બાંધકામ રિલોકેટટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 52 ધાર્મિક બાંધકામો નિયમિત કરવામાં આવ્યા છે.
66 અનધિકૃત ધાર્મિક બાંધકામ હટાવાયા
સરકારે રજૂ કરેલા ધાર્મિક દબાણો અંગેના સોગંદનામામાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 66 અનધિકૃત ધાર્મિક બાંધકામ હટાવવામાં આવ્યાં છે. જ્યારે 8 મનપા વિસ્તારોમાં 33 અનધિકૃત ધાર્મિક બાંધકામ દૂર કર્યા છે. તે ઉપરાંત 49 ધાર્મિક બાંધકામો રિલોકેટટ કરવામાં આવ્યા છે. જ્યારે 52 ધાર્મિક બાંધકામો નિયમિત કરવામાં આવ્યા છે. સરકારે સોગંદનામામાં સમગ્ર રાજ્યના કુલ અનઅધિકૃત બાંધકામોમાંથી 70 ટકા 5 જીલ્લામાં અને 2 મ્યુનિ કોર્પોરેશનમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. 1 માર્ચથી 15 એપ્રિલ સુધી 99 ધાર્મિક બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારે સોગંદનામામાં એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, દબાણકર્તાઓને 310 નોટિસ આપવામાં આવી છે.754 નોટિસ લોકલ સમાચાર પત્રોમાં પ્રકાશિત કરાઈ છે. સ્થાનિક 175 ધાર્મિક અગ્રણીઓ સાથે મિટીંગો યોજવામાં આવી છે.આ મુદ્દે વધુ સુનવણી ઉનાળુ વેકેશન બાદ યોજાશે.ધાર્મિક દબાણોના રિવ્યુ અને તેને દૂર કરવા જિલ્લા સ્તરે કલેક્ટર હસ્તગત કમિટીની રચના કરી છે, જ્યારે મ્યુનિસિપલ સ્તરે કમિશનર હસ્તગત કમિટીની રચના કરવામાં આવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB