લોડ થઈ રહ્યું છે...

અમદાવાદમાં ભારે વરસાદને કારણે ચારે બાજુ ભરાયા પાણી, શહેરના 5 અંડરપાસ કરાયા બંધ

image
X
અભિષેકસિંહ વાઘેલા, અમદાવાદ
અમદાવાદ શહેરમાં આ સિઝનમાં અત્યાર સુધી 10.48 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેરની 105 જગ્યાઓ પર પાણી ભરાયા હતા. આ તમામ સ્થળોએ બે કલાકથી વધુ સમય સુધી પાણી ભરેલું રહ્યું હતું. હાલમાં પણ કેટલીક જગ્યાઓ પર પાણી ભરેલું છે, જેને બપોરે 4 વાગ્યે દૂર કરવામાં આવશે.

પાણી ભરાયેલી જગ્યાઓમાં મુખ્યત્વે મકતમપુરામાં પલકનુંમ, ગોતામાં બદલનગર, કુમુદનગર, બંધન ટ્રાયેન્ગલ, શાહીબાગમાં એમ.એસ. એપાર્ટમેન્ટ, વસ્ત્રાલમાં પંચરત્ન આવાસ, નિકોલમાં મધુમાલતી આવાસ, ડી-કેબિન અંડરપાસ અને કાળી ગામ અંડરપાસનો સમાવેશ થાય છે. ખાસ કરીને મધુમાલતી આવાસમાં પાણી ભરાવાની સમસ્યા સતત રહે છે, પરંતુ ઈસ્ટર્ન ટ્રંક લાઈન કનેક્ટ થયા બાદ આ સમસ્યા ઉકેલાઈ જશે તેવી આશા છે.

શહેરમાં પાણી ભરાવાને કારણે 5 અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા, જેમાં મીઠાખળી, અખબારનગર, મકરબાના બે અંડરપાસ અને ડી-કેબિન અંડરપાસનો સમાવેશ થાય છે. અખબારનગર અંડરપાસમાં દોઢ ફૂટ પાણીમાં એક ગાડી ફસાઈ જતાં બંધ થઈ ગઈ હતી. બુમ્બેરિયરમાં પાણીનું સ્તર 2 ફૂટ હતું, જેને ઘટાડીને 1.35 ફૂટ કરવામાં આવ્યું જેથી કોઈ ફસાય નહીં.

શહેરમાં પાણી નિકાલ માટે 25 વરુણ પંપ પૈકી 24 પંપ હાલ કાર્યરત છે. જોકે, ત્રણ જગ્યાઓ પર બ્રેકડાઉનની સ્થિતિ નોંધાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી નિકાલની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ભારે વરસાદે શહેરની ટ્રાફિક અને રોજિંદા જીવનને અસર કરી છે.

Recent Posts

લંડનમાં અમદાવાદ જેવી પ્લેન દુર્ઘટના, ટેક ઓફ સમયે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ સહિતની ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે

અરવલ્લીના મોડાસામાં tv13 ગુજરાતીનો મહાસન્માન પુરસ્કાર સમારોહ, ખેડૂતો, શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓનું વિશેષ સન્માન

Mehsana: મિત્રના ત્યાં ITની રેડ પડી છે, પૈસા છોડાવવા હોય તો... રૂપિયા 21 લાખ પડાવનારો નકલી IAS અધિકારી ઝડપાયો

સુરત: જૂગારધામ પર દરોડા મામલે કાર્યવાહી, તરસાડી નગરના 3 ભાજપના હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

EDની અમદાવાદ ઝોનલ ઓફિસની કાર્યવાહી, રૂપિયા 6.80 કરોડની કિંમતની સ્થાવર મિલકત કરાઇ જપ્ત, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં અત્યાર સુધીમાં 117 તાલુકામા મેઘો મૂશળધાર, સૌથી વધુ બનાસકાંઠાનાં દાંતામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો

CM મોહન યાદવનું દુબઈમાં ઉષ્માભર્યું સ્વાગત, રોકાણકારો સાથે કરશે વાત

સુરેન્દ્રનગરના વઢવાણમાં ઢોર ચરાવવા બાબતે 6 શખ્સોએ આધેડ પર કર્યો હુમલો, સારવાર દરમિયાન મોત

દિલ્હી-NCRમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ રાજ્યોમાં આગામી 4 દિવસ વધુ ભારે, IMD આપી ચેતવણી

કે કવિતા પર ટિપ્પણીને લઈને તેલંગાણામાં અંધાધૂંધી, કોંગ્રેસના પૂર્વ નેતાના કાર્યાલયમાં તોડફોડ અને ગોળીબાર