જો આ લોટની બનેલી રોટલી ખાશો તો સુગર રહેશે કંટ્રોલમાં, વજન ઘટાડવામાં પણ મળશે મદદ
ઘઉંની રોટલીનું સેવન બ્લડ શુગરના દર્દીઓ માટે યોગ્ય નથી, કારણ કે તે બ્લડ શુગરને વધારવાનું કામ કરે છે. તેટલું જ નહીં, જેમને વજન વધવાની ચિંતા છે, તેમના માટે પણ ઘઉંનો લોટ યોગ્ય નથી. એવામાં પ્રશ્ન થાય કે, શું ખાવું કે જેથી પેટ પણ ભરાઈ જાય અને આરોગ્ય પર પણ ખરાબ અસર ન પડે? એમાં રાગીનો લોટ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક પૌષ્ટિક લોટ છે, જે આરોગ્ય માટે અનેક લાભ આપે છે.
ચહેરા પર લાવે તેજ
જ્યારે રાગીના લોટથી પાચનતંત્ર સુધરે છે, ત્યારે તેની સીધી અસર ત્વચા પર પણ જોવા મળે છે. રાગીનો લોટ ત્વચાને સુંદર બનાવવામાં સહાય કરે છે. તેમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ ત્વચામાં રહેલા નુકસાનકારક તત્ત્વોને દૂર કરવામાં મદદ કરે છે, જેના પરિણામે ત્વચા સ્વસ્થ અને તેજસ્વી બને છે.
વજન ઘટાડવામાં મદદ
રાગીનો લોટ વજન ઘટાડવામાં પણ સહાયક સાબિત થાય છે. તેમાં રહેલા ફાઈબર અને પ્રોટીન પેટને ભરેલું રાખે છે, જેથી ભૂખ ઓછી લાગે. જો તમારે વજન ઓછું કરવું હોય, તો રાગીના લોટની રોટલી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.
પાચનતંત્રને કરે મજબૂત
જો તમારી ડાઈજેસ્ટિવ સિસ્ટમ બરાબર કામ ન કરતી હોય, તો રાગીનો લોટ તમારા માટે ઉત્તમ વિકલ્પ છે. તે પાચનશક્તિ સુધારવામાં મદદ કરે છે. તેમાં રહેલા ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, ગેસ તથા અન્ય પાચન સંબંધિત તકલીફો ઘટાડે છે.
શૂગર રહેશે કંટ્રોલ
જો ઘઉંની રોટલી તમારા આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ રહી હોય, તો રાગીના લોટની રોટલી તમારા માટે લાભદાયી રહેશે. રાગીનો લોટ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા ફાઈબર અને પ્રોટીન લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત રાખે છે.
Disclaimer: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો પ્રશ્નો અથવા સમસ્યા હોય, તો તમારા ડૉક્ટરની સલાહ લો.