તમાકુની આદત છોડવી છે તો આ દવા રહેશે અસરકારક, WHOએ બહાર પાડી ગાઇડલાઇન
પ્રથમ વખત WHO એ નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી વિશે માર્ગદર્શિકા બહાર પાડી છે અને 3 દવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ વખત તમાકુ છોડવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં લોકોને બિહેવિયરલ સપોર્ટ તેમજ દવાઓ અને ડિજિટલ એપની મદદથી તમાકુના વ્યસનમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરવામાં આવશે. જો આમ થશે તો વિશ્વભરમાં તમાકુથી થતા રોગોને ઘટાડવામાં ચોક્કસપણે મદદ મળશે. વિશ્વભરમાં 1.25 બિલિયન તમાકુના વપરાશકારોમાં લગભગ 750 મિલિયન લોકો એવા છે જેઓ આ વ્યસન છોડવા માંગે છે પરંતુ સફળ થઈ શકતા નથી.
આ ઉપચાર તમાકુ છોડવામાં મદદ કરશે
WHO એ તમાકુ છોડવા માટે વેરેનિકલાઇન, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી (NRT), બુપ્રોપિયન અને સાયટોસિનને અસરકારક જાહેર કર્યું છે. વેરેનિકલાઇન એ એક ટેબ્લેટ છે જેમાં નિકોટિન હોતું નથી. આ દવાનો ઉપયોગ તમાકુ છોડવા માટે થાય છે પરંતુ તે અન્ય છોડવાની દવાઓથી અલગ રીતે કામ કરે છે અને જેઓ તમાકુથી છુટકારો મેળવવા માંગે છે તેમના માટે અસરકારક છે.
સાયટોસિનનો ઉપયોગ તમાકુ વિરોધી દવા તરીકે પણ લાંબા સમયથી કરવામાં આવે છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે આ પ્લાન્ટના શ્રેષ્ઠ સંયોજનનો ઉપયોગ કરવાથી ધૂમ્રપાન છોડવાની શક્યતા બમણી થઈ જાય છે. તે યુરોપમાં લાંબા સમયથી ઉપયોગમાં લેવાય છે.
બ્યુપ્રોપિયન એ એન્ટીડિપ્રેસન્ટ દવા છે. જેનો ઉપયોગ નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપીમાં થાય છે. WHO એ હવે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપીમાં આ ત્રણ દવાઓનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. જે તમાકુના વ્યસનમાંથી છુટકારો મેળવવામાં ઝડપી અસર દર્શાવે છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/