તમારું WiFi router જો કામ કરવામાં ધાંધીયા કરતુ હોય તો તેને આ રીતે કરો રિફ્રેસ

વાઈ-ફાઈમાં સમસ્યાના કારણે ઘરોમાં ઈન્ટરનેટની સ્પીડની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ઘણા બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ આ સમસ્યા સાથે સંઘર્ષ કરે છે, પરંતુ તેઓ જાણતા નથી કે તેઓ માત્ર એક નાનું સેટિંગ કરીને આ સમસ્યાને હલ કરી શકે છે.

image
X
આજકાલ મોટાભાગના ઘરોમાં ઓપ્ટિકલ ફાઈબર આધારિત બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. વાઈ-ફાઈમાં સમસ્યાના કારણે ઘરોમાં ઈન્ટરનેટની સ્પીડની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ઘણા બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ આ સમસ્યા સાથે સંઘર્ષ કરે છે, પરંતુ તેઓ જાણતા નથી કે તેઓ માત્ર એક નાનું સેટિંગ કરીને આ સમસ્યાને હલ કરી શકે છે. આમાં ઈન્ટરનેટ સ્પીડ સંબંધિત સમસ્યા અમુક ચોક્કસ કારણોસર થાય છે. જો ઓપ્ટિકલ ફાઈબર કેબલમાં લાઈટનો બીમ સીધો ન હોય તો ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સમસ્યા હોય અથવા રાઉટરમાં ટેક્નિકલ પ્રોબ્લેમને કારણે ઈન્ટરનેટ કનેક્ટિવિટી ધીમી પડી જાય છે. 

Wi-Fi રાઉટરને કઈ રીતે કરશો રિફ્રેસ 

10 સેકન્ડ માટે રાઉટરનો પાવર બંધ કરો
સમસ્યાને દૂર કરવા માટે ઘરમાં લગાવેલા વાઈ-ફાઈ રાઉટરને સમયાંતરે રિફ્રેશ કરવું જોઈએ. રાઉટર રિફ્રેશ થવાથી કનેક્ટિવિટી પણ રિફ્રેશ થાય છે અને ઈન્ટરનેટ સ્પીડ વધે છે. ઉપરાંત, વપરાશકર્તાઓએ ઓછામાં ઓછા 10 સેકન્ડ માટે દિવસમાં એકવાર Wi-Fi રાઉટરને અનપ્લગ કરવું જોઈએ. તેનાથી કનેક્ટિવિટી પણ રિફ્રેશ થાય છે. Wi-Fi રાઉટરને રિફ્રેસ કરવાની પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ રીત એ છે કે ઓછામાં ઓછા 10 સેકન્ડ માટે રાઉટરનો પાવર બંધ કરો, પછી પાવરને ફરીથી ચાલુ કરો. આમ કરવાથી વાઈ-ફાઈની કનેક્ટિવિટી રિફ્રેશ થશે અને ઈન્ટરનેટ સ્પીડ વધશે અને ડિસ્કનેક્શનની કોઈ સમસ્યા નહીં રહે.

Wi-Fi સેટિંગ્સમાં જઈને કનેક્શન રિફ્રેશ કરો
આ સિવાય વાઇફાઇ રાઉટરમાં લગાવેલા વાયરને પ્લગ ઈન અને અનપ્લગ કરો. આમ કરવાથી, Wi-Fi કનેક્ટિવિટી સંપૂર્ણપણે રિફ્રેશ થઈ જાય છે.જો તમે Airtel, Jio કે અન્ય કોઈ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરનું ઈન્ટરનેટ વાપરી રહ્યા છો, તો તેમની એપ પર જાઓ અને એકવાર Wi-Fi સેટિંગ્સમાં જઈને કનેક્શન રિફ્રેશ કરો. 

ફર્મવેર અપડેટ કરવું 
આ બધા સિવાય તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા ઘરમાં ઈન્સ્ટોલ કરેલા વાઈ-ફાઈ રાઉટરનું ફર્મવેર લેટેસ્ટ સોફ્ટવેરથી અપડેટ થયેલું હોવું જોઈએ. જો આવું ન થાય તો તમારે સ્લો ઈન્ટરનેટની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Recent Posts

ડિજિટલ વિકાસ માટે 125 દેશમાં ભારત 8મા ક્રમાંકે

કર્મચારીઓને 8મા પગાર પંચનો લાભ ક્યારે મળશે? જાણો સંપૂર્ણ વિગતો

શું કેન્દ્રીય બજેટ 2025 ભારતના પરવડે તેવા આવાસ ક્ષેત્રને પુનર્જીવિત કરશે?

Paytmની મહાકુંભ માટે ખાસ તૈયારી, લોન્ચ કર્યો Bhavya Mahakumbh QR, જાણો સંપૂર્ણ વિગતો

Indian Army Day 2025:15 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે ભારતીય સેના દિવસ, જાણો ઈતિહાસ

Mahakumbh 2025 : ગુગલ સર્ચમાં આવ્યું સ્પેશિયલ ફીચર, મહાકુંભ ટાઈપ કરતાની સાથે જ થશે ફૂલનો વરસાદ

DoTની સાયબર ક્રાઈમ પર મોટી કાર્યવાહી, 35 હજાર વોટ્સએપ નંબર અને હજારો ગ્રુપ કર્યા બંધ

જો ફોન ચોરાઇ જશે તો તરત જ થઇ જશે લોક, ઓન કરી લો આ સેટિંગ

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું નવું રેન્કિંગ જાહેર, જાણો ભારતને કયું સ્થાન મળ્યું

RBIએ અચાનક બદલ્યો આ નિયમ, હવે એકથી વધુ પર્સનલ લોન લેવી બનશે કઠિન