ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPL અનિશ્ચિત સમય માટે સ્થગિત, BCCIનો મોટો નિર્ણય
ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝન અધવચ્ચે જ મુલતવી રાખવામાં આવી છે. આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCIની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે.
IPL 2025 suspended with immediate effect, in view of India-Pakistan tension: BCCI sources pic.twitter.com/lY556tTAkc
— ANI (@ANI) May 9, 2025
ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝન અધવચ્ચે જ મુલતવી રાખવામાં આવી છે. 9 મેના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની બેઠક બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો. આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCIની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં 8 મે સુધી 58 મેચ રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચનો સમાવેશ થાય છે. ૮ મે (બુધવાર) ના રોજ ધર્મશાલામાં યોજાનારી આ મેચ ભારત-પાકિસ્તાન તણાવને કારણે અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. દરમિયાન ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું. ખેલાડીઓને ધર્મશાળાથી દિલ્હી લાવવા માટે એક ખાસ ટ્રેન ચલાવવામાં આવી હતી.
IPL 2025 ની નવી તારીખો ક્યારે જાહેર થશે?
આઈપીએલનો આ તબક્કો અહીં જ રોકાઈ ગયો છે. હવે વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચો પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ હોઈ શકે છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats