LokSabha Election 2024 : બોડેલીમાં અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર, કહ્યું સમસ્યા સીટમાં નહીં તમારામાં છે

છોટા ઉદેપુરના બોડેલી ખાતે જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગુજરાતની ભગવામય જનતાનો એક જ અવાજ કે આખા દેશમાં માત્ર મોદીજીની લહેર છે.

image
X
રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા માટે બોડેલી ખાતે જાહેર સભા સંબોધશે. આ સભામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી પણ ઉપસ્થિત રહી જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડવા માટે જાહેર સભામાં સંબોધન કરશે..ઉપરાંત છોટા ઉદેપુર લોકસભાના ભાજપ ઉમેદવાર જશુ રાઠવાએ પણ 5 લાખથી વધુ મતોથી જીતવાની આશા વ્યક્ત કરી હતી.

છોટા ઉદેપુરના બોડેલી ખાતે જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગુજરાતની ભગવામય જનતાનો એક જ અવાજ કે આખા દેશમાં માત્ર મોદીજીની લહેર છે.  કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહી છે. તેમના નેતા રાહુલ ગાંધી છે. તેઓ અમેઠીમાંથી હાર્યા પછી વાયનાડ ગયા હતા. હવે તેઓ વાયનાડમાં હારના ડરથી રાયબરેલી દોડી ગયા હતા.  પણ રાહુલ ગાંધી, સમસ્યા સીટની નથી. સમસ્યા તમારી અંદરની છે. તમે રાયબરેલીને મોટા માર્જિનથી હારી જવાના છો.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | Chhotaudepur, Gujarat: Addressing a public rally, Union Home Minister Amit Shah says, &quot;The Congress is contesting the elections under Rahul Gandhi&#39;s leadership. Their leader is Rahul Gandhi. He went to Wayanad after he lost from Amethi. Now he ran to Raebareli fearing… <a href="https://t.co/XxqGUIxClg">pic.twitter.com/XxqGUIxClg</a></p>&mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1786664341309141134?ref_src=twsrc%5Etfw">May 4, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
રાહુલ ગાંધીને આપી સલાહ
કેન્દ્રીય ગૃમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું કે,  રાહુલ બાબા મારી એક સલાહ સાંભળી લેજો, પ્રોબ્લેમ સીટમાં નથી, તમારામાં છે રાયબરેલી તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો. ગમે ત્યાં ભાગો. આ કોંગ્રેસ પાર્ટી એક નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે. 10 વર્ષ સુધી સોનિયા-મનમોહનની સરકાર ચાલી. એ સરકાર 10 વર્ષ ચાલી, રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલીયા આવતા હતા અને બોમ્બ ધમાકા કરી ભાગી જતા હતા. 

ભાઈઓ-બહેનો આ રાહુલ બાબા એન્ડ કંપની જો દેશમાં સત્તા પર આવશે તો મુસ્લિમ અનામત આપી, SC/ST/OBCની અનામત છીનવી લેશે. હું આજ મોદીની ગેરંટી છોટાઉદેપુરવાળાને કહીને જઉં છું, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે અનામતને કોઈને હાથ લગાવવાનો અધિકાર નથી. આ અધિકાર SC/ST/OBC ભાઈઓનો છે અને આ અધિકાર અબાધિત રહેવાનો છે.

Recent Posts

માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગની મજા બની મોતની સજા, ઝારખંડના પ્રવાસીનું મોત

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, જાણો શું છે રિપોર્ટમાં

ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હુમલા પર કન્હૈયા કુમારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તંત્રનો મહત્વનો નિર્ણય, હવે અહીં લગાવવામાં આવશે મીટર

Nadiad : કેદારનાથ યાત્રા માટે 83 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ ટિકિટ ના આપી હોવાની ફરિયાદ

Ahmedabad : મદ્રેસામાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી

Morbi : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશને પગલે 3 મદ્રેસામાં ચેકીંગ હાથ ધરાઇ

Ahmedabad : સમગ્ર રાજ્યની મદ્રેસામાં સર્વેની કામગીરી શરૂ

જાણો કેમ થઈ રહ્યું છે IDFC અને IDFC ફર્સ્ટ બેન્કનું મર્જર, રોકાણકારોની મંજૂરી પછી શું થશે?