માણાવદરના MLA અરવિંદ લાડાણીએ મગફળીની ખરીદીને લઈ ગુજકોમાસોલ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું

જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આરોપ કર્યો છે. ધારાસભ્યએ ગુજકોમાસોલ સામે ગંભીર આરોપ લગાવ્યા છે કે, ગુજકોમાસોલના અધિકારીઓ મગફળીની ખરીદીમાં મનમાની કરે છે. બધા પોતાનુ ધાર્યુ કરે છે.

image
X
હાલમાં ટેકાના અભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. આ દરમિયાન હવે જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યો છે. આ સાથે તેમણે અધિકારીઓ પર માનમનીનો આરોપ પણ લગાવ્યો છે. 

જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આરોપ કર્યો છે. ધારાસભ્યએ ગુજકોમાસોલ સામે ગંભીર આરોપ લગાવ્યા છે કે, ગુજકોમાસોલના અધિકારીઓ મગફળીની ખરીદીમાં મનમાની કરે છે. બધા પોતાનુ ધાર્યુ કરે છે. માણાવદરમાં 4 મંડળીઓ મારફતે ખરીદી થતી હતી. 2 નંબરની મંડળી ગુજકોમાસોલના ડિરેક્ટરના સંબંધીની મંડળી હોવાનો પણ લાડાણીએ દાવો કર્યો છે.  

ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું કે, માણાવદરમાંથી અંદાજિત 6200થી વધુ ખેડૂતોએ મગફળી માટે ઓનલાઈન અરજી કરેલ. ત્યાર બાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નીમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં બે મંડળીઓની ખરીદી માટે માન્યતા આપેલ. ત્યાર બાદ આ ખરીદી બારદાનના કારણે ધીરી ચાલતા. સરકારને રજૂઆત કરી અને વધારાની બે મંડળી શરૂ કરવા રજૂઆત કરેલ. જે સરકારે મંજૂર રાખી અને મણાવદર તાલુકામાં કુલ 4 સંસ્થા દ્વારા મગફળીની ખરીદી શરૂ છે. જ્યારે વધારાની બે મંડળીથી ખરીદી શરૂ કરવાની થઈ ત્યારે આ મંડળીઓને 600 આસપાસનું મેપિંગ આપી અને ખરીદી શરૂ થયેલ. અને નવી મંડળી 3 અને 4 નું મેપિંગ પૂર્ણ થતાં ફરીથી માંગણી કરતાં. પહેલા નંબરની મંડળીના મેપિંગ માંથી આપેલ અને બીજા નંબરની મંડળીને ગુજકોમસોલના ડિરેકટરના સગાની મંડળી હોય. આ ગુજકોમસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડીને અમદાવાદ સુધીના તમામ રાજકીય કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લામાં ભયંકર ભ્રષ્ટાચાર કરે છે. આ ગુજકોમસોલના અધિકારીઓ સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના પોતાનું ધાર્યું કરે છે. નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માંગણી કરે છે. 

કરી તપાસની માગણી 
આ સાથે અરવિંદ લાડાણીએ કહ્યું કે, આ ગુજકોમાસોલના નરેન્દ્રસિંહ પરમાર તોછડાઈ ભર્યા ફોન કરે છે. અને ફોન ઉપાડતાં નથી. અને કહે છે કે અમે ગુજકોમાસોલ વાળા અમારું ધાર્યું જ કરીશું. આ સાથે તેમણે સરકારને રજૂઆત કરતાં કહ્યું કે, અધિકારીઓ પર સખત પગલાં ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકોમાસોલની તપાસ કરવાણી માગણી કરી હતી. 

Recent Posts

અમેરિકાથી ડિપોર્ટ થયેલા બે યુવકોની પટિયાલા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

નાણાંકીય શિસ્તમાં ગુજરાતનો ડંકો, 21 મોટા રાજ્યોને પાછળ છોડી જાહેર દેવામાં ઘટાડામાં પ્રથમ ક્રમે

કચ્છ: મતદાન પ્રક્રિયા અંગે રાપરના MLA વિરેન્દ્રસિંહ જાડેજાનું મોટું નિવેદન, કોંગ્રેસના નેતા પર લગાવ્યા ગંભીર આરોપ

ભાગદોડ કેમ થઈ? સીડીઓ પર શું પરિસ્થિતિ હતી અને રેલ્વે અધિકારીઓ ક્યાં હતા? તપાસ ટીમે પુરાવા કર્યા એકત્રિત

'એલોન મસ્ક મારા બાળકના પિતા', ઇન્ફ્લુએન્સરનો દાવો; મસ્કે આપ્યો આ જવાબ

પ્રયાગરાજમાં ભારે ટ્રાફિક જામ, જિલ્લાની સરહદો પર વાહનોની અનેક કિલોમીટર લાંબી લાગી લાઇન

નર્મદાના રિક્ષાચાલકની આદિવાસી દીકરીએ ઉત્તરાખંડમાં જીત્યો બ્રોન્ઝ મેડલ, રાજપીપળામાં થયું ભવ્ય સ્વાગત

ભાવનગર: સિહોર તાલુકાની GIDC-1માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટ, ચાર શ્રમિકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કામ કરતાં કુલીએ જણાવ્યું ઘટના અંગે, કહ્યું- અમે ઓછામાં ઓછા 15 મૃતદેહો ઉપાડ્યા અને એમ્બ્યુલન્સમાં મૂક્યા

SURAT: પ્રફુલ સાડી ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટીની માતા અને ડોન ફઝલુ રહેમાનની મુશ્કેલીઓ વધી, અરેસ્ટ વોરંટ ઇશ્યૂ; જાણો શું છે મામલો