માણાવદરના ધારાસભ્યએ અધિકારીઓના લીધા બરાબરના ક્લાસ, આપી આંદોલનની ચીમકી... જાણો શું છે મામલો

માણાવદરથી ગાંધીનગર સુધી ભાજપનું શાસન છે. તેમ છતા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રિમોન્સુન કામગીરીને લઈ અલ્ટીમેટમ આપવું પડ્યું છે. ત્યારે સવાલ એ છે કે જો નેતાઓને પણ ચીમકી આપી કામ કરવું પડે છે તો જનતાની શું પરિસ્થિતિ હશે.

image
X
ચૂંટણી પૂર્ણ થતાં જ હવે અધિકારીઑ સામે નેતાઓ મેદાને પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ માણાવદરના ધારાસભ્યએ ભ્રષ્ટાચાર મુદ્દે પ્રશાસન સામે આકરાપાણીએ થયા છે. 

જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીનો અધિકારીનો ઉધડો લેતો વીડિયો સામે આવ્યો છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીને માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરીને લઈ ફરિયાદો મળતા અધિકારીઓને હાજર રાખી લોકદરબાર યોજ્યો હતો. માણાવદર મામલતદાર કચેરીમાં યોજેલા લોકદરબાર સમયે ધારાસભ્ય મેદાનમાં જમીન પર જ બેસી ગયા હતા અને ચીફ ઓફિસરને પણ જમીન પર બેસાડી સવાલોનો મારો ચલાવ્યો હતો.

લાડાણીએ અલ્ટીમેટમ આપ્યું 
 ધારાસભ્ય અરવિંદ લાડાણીએ  મામલતદાર ઓફિસે પહોંચી તડકામાં બેસી અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો હતો. પાલિકાની આર્થિક સ્થિતિ કથળી હોવાના કારણે લાઈટબિલ ભરવાના નાણાં પણ ન હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો. માણાવદર નગરપાલિકામાં પસ્તી અને ભંગાર વેચવામાં કૌભાંડ કરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. લાડાણીએ અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, જો 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ નહીં થાય તો 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરશે.  જો કે વાયરલ વિડીયોમાં ધારાસભ્ય ભાષાની મર્યાદા પણ ચૂકી ગયા હતા. 

Recent Posts

15 કરોડના આરોપમાં અરવિંદ કેજરીવાલને ACBની નોટિસ, પૂછ્યા આ 5 સવાલ

ઉદ્ધવની શિવસેનાએ કર્યું જોરદાર પ્રદર્શન, કહ્યું- 'રોહિંગ્યા, બાંગ્લાદેશીઓને પાછા મોકલો'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુંભ મેળામાં લગાવી આસ્થાની ડૂબકી, ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ

મહાકુંભમાં ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા 40 કરોડને પાર, સંગમ પર ભક્તોની ઉમટી રહી છે ભીડ

અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ACBની ટીમ, 15 કરોડની ઓફર અંગે કરશે પૂછપરછ

LoC પર ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને કર્યા ઠાર, કુખ્યાત BAT આતંકવાદીઓનો પણ સમાવેશ

RBIએ ઘટાડ્યું વ્યાજ, હવે શું EMI ઘટાડવા બેંકમાં જવું પડશે? અહીં કરો કન્ફ્યુઝન દૂર

અમેરિકાના અલાસ્કામાં 10 લોકોને લઈને જતું પ્લેન અચાનક ગાયબ, સર્ચ ઓપરેશન ચાલુ

પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કેસમાં રાજદ્રોહ સહિતના ગંભીર કેસ રાજ્ય સરકારે પરત ખેંચ્યા, હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયાએ માન્યો સરકારનો આભાર

આજે જીત અદાણી અને દિવા શાહ લેશે સાત ફેરા, અમદાવાદમાં થશે લગ્ન, 300 મહેમાનો આપશે હાજરી