લોડ થઈ રહ્યું છે...

ગુજરાતમાં 29 મેના રોજ યોજાનારી મોકડ્રીલ મોકૂફ, આગામી દિવસોમાં મોકડ્રીલની તારીખોની કરાશે જાહેરાત

image
X
ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં 29 મેના રોજ થનારી મોકડ્રીલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી કારણોસર ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં થનારી મોકડ્રીલ મોકૂફનો નિર્ણય રાખવામાં આવી છે. તંત્રએ જણાવ્યા મુજબ, ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલ માટેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, 29 મેના રોજ યોજાનારી મોકડ્રીલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તમામ રાજ્યોમાં યોજાનારી મોકડ્રીલ કોઈ કારણસર મોકૂફ રાખાઇ છે. 29 મેના રોજ ગુજરાત, રાજસ્થાન,  પંજાબ, જમ્મુકાશ્મીરમાં મોકડ્રિલ યોજાવવાની હતી જે હવે મોકૂફ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઓપરેશન શિલ્ડ હેઠળ આ મોકડ્રિલ થવાની હતી, જોકે વહીવટી કારણોસર મોકડ્રીલને મોકૂફ રખાઇ  છે. હવે આગામી દિવસોમાં મોકડ્રીલ કરવાની નવી તારીખ જાહેર કરાશે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકીના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી.  આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ અને તણાવને લઈ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. ભારત સરહદ પર સિઝફાયર બાદ સિવિલ ડિફેન્સે ગુજરાત સહિત 5 રાજ્યોમાં ફરી મોકડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો, પરંતુ વહીવટી કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત સરહદે આવેલા ગુજરાત સહિત રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં સાંજના 5થી 8 વાગ્યા સુધી 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો હતો. આ મોકડ્રીલનો હેતુ કટોકટીની સ્થિતિમાં નાગરિકો, વહીવટી તંત્રની તૈયારી તપાસવાનો છે, આ મોકડ્રીલના કારણે કોઈપણ સંભવિત જોખમનો સામનો કરી શકાય માટે દેશના લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગ્રત થાય તેવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ઓપરેશ શિલ્ડ હેઠળ મોકડ્રીલનું આયોજ કરવાનો મુખ્ય હેતું, જ્યારે યુદ્ધ દરમિયાન લોકોના બચાવ કામગીરીની તાલીમ આપવામાં આવશે.

Recent Posts

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18મો મૃતદેહ મળ્યો, હજી લાપતા 2 વ્યક્તિની શોધખોળ ચાલુ

ગુજરાતમાં હવે મેઘમંડાણ! અત્યાર સુધીમાં 70 તાલુકામાં મેઘ મહેર, ક્યા શહેરમાં કેટલો વરસાદ ખાબક્યો?

તંત્રની લાપરવાહીનો ભોગ બનનાર નિર્દોષ જનતાના મોતના આંકડા વધે ત્યારે સરકાર મૌન કેમ હોય છે?

Ambaji: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની થઇ શકે છે જાહેરાત

TOP NEWS | કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ ? |tv13gujarati

ટેસ્લા આ તારીખે કરશે ભારતમાં પ્રવેશ, એલોન મસ્ક સાથે PM મોદી પણ રહી શકે છે હાજર -સૂત્ર

ગુરુગ્રામમાં મહિલા ટેનિસ ખેલાડીની હત્યા, પિતાએ જ મારી દીધી ગોળી

નાસામાં હંગામો! ટ્રમ્પે એવો નિર્ણય લીધો કે એક જ વારમાં હજારો લોકોની નોકરીઓ જશે?

કપિલ શર્માના કાફેમાં ગોળીબાર, થોડા દિવસ પહેલા જ કર્યું હતું ઓપનિંગ