લોડ થઈ રહ્યું છે...

પહેલગામ હુમલામાં NIAને મળી મોટી સફળતા, આતંકવાદીઓને આશ્રય આપનારા 2 ગુનેગારોની ધરપકડ

image
X
રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA) ને પહેલગામ હુમલામાં મોટી સફળતા મળી છે. રવિવારે, એજન્સીએ પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને આશ્રય આપનારા બે લોકોની ધરપકડ કરી હતી. આ બે આરોપીઓના નામ પરવેઝ અહેમદ અને બશીર અહેમદ છે. 

ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાની નાગરિક 
બંને પહેલગામના રહેવાસી છે. તપાસ એજન્સીએ પોતાના નિવેદનમાં માહિતી આપી હતી કે પહેલગામના બાટકોટના પરવેઝ અહેમદ જોથર અને પહેલગામના હિલ પાર્કના બશીર અહેમદ જોથરએ હુમલામાં સામેલ 3 આતંકવાદીઓની ઓળખ જાહેર કરી છે. બંનેએ એ પણ માહિતી આપી હતી કે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા પાકિસ્તાની નાગરિકો હતા.

આ આતંકવાદી હુમલો 22 એપ્રિલના રોજ થયેલો, આ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદીઓએ ધર્મ પૂછીને લોકોને મારી નાખ્યા. તે પછી ભારત- પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતી વધુ વણસી હતી.

ટીમ પ્રત્યક્ષદર્શીઓની કરી રહી છે પૂછપરછ
આતંકવાદ વિરોધી સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ, NIA ટીમો પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે જેમણે આ ભયાનક હુમલો પોતાની આંખોથી જોયો હતો. બૈસરન ખીણમાં થયેલા આ આતંકવાદી હુમલાને કાશ્મીરમાં સૌથી પીડાદાયક આતંકવાદી હુમલાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે.

NIA તપાસ ટીમો આતંકવાદીઓના કાર્ય યોજનાના સંકેતો માટે પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોની નજીકથી તપાસ કરી રહી છે. ફોરેન્સિક અને અન્ય નિષ્ણાતોની મદદથી ટીમો સમગ્ર વિસ્તારની સંપૂર્ણ તપાસ કરી રહી છે, જેથી આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરવા માટે પુરાવા એકત્રિત કરી શકાય.

Recent Posts

લંડનમાં અમદાવાદ જેવી પ્લેન દુર્ઘટના, ટેક ઓફ સમયે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ સહિતની ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે

અરવલ્લીના મોડાસામાં tv13 ગુજરાતીનો મહાસન્માન પુરસ્કાર સમારોહ, ખેડૂતો, શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓનું વિશેષ સન્માન

Mehsana: મિત્રના ત્યાં ITની રેડ પડી છે, પૈસા છોડાવવા હોય તો... રૂપિયા 21 લાખ પડાવનારો નકલી IAS અધિકારી ઝડપાયો

સુરત: જૂગારધામ પર દરોડા મામલે કાર્યવાહી, તરસાડી નગરના 3 ભાજપના હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

ગુજરાતમાં અત્યાર સુધીમાં 117 તાલુકામા મેઘો મૂશળધાર, સૌથી વધુ બનાસકાંઠાનાં દાંતામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો

CM મોહન યાદવનું દુબઈમાં ઉષ્માભર્યું સ્વાગત, રોકાણકારો સાથે કરશે વાત

દિલ્હી-NCRમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ રાજ્યોમાં આગામી 4 દિવસ વધુ ભારે, IMD આપી ચેતવણી

કે કવિતા પર ટિપ્પણીને લઈને તેલંગાણામાં અંધાધૂંધી, કોંગ્રેસના પૂર્વ નેતાના કાર્યાલયમાં તોડફોડ અને ગોળીબાર

વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રૂ.212 કરોડના ખર્ચે મુજપૂર પાસે નવો ટુ-લેન હાઈલેવલ પુલ બનાવાશે

ખાલિસ્તાનીઓ વિરુદ્ધ અમેરિકાની મોટી કાર્યવાહી, FBIએ 8 શંકાસ્પદ શખ્સોની કરી ધરપકડ