લોડ થઈ રહ્યું છે...

ધનતેરસના દિવસે લક્ષ્મી સમાન દિકરીની પિતાએ કરી ક્રૂર હત્યા, રામોલમાં બન્યો સમગ્ર બનાવ

દિલીપ કુશવાહને દીકરી પોતાની ન હોય તેવી અવારનવાર શંકા થતી હતી જેના કારણે તે પત્ની સાથે ઝઘડો કરતો હતો અને છેલ્લા પાંચ મહિનાથી પત્ની અને દીકરીને તરછોડીને અલગ જગ્યાએ રહેતો હતો.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચકચારી હત્યાની ઘટના બની છે. ધનતેરસના દિવસે જ્યારે દેશભરમાં મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ત્યારે લક્ષ્મી સમાન ગણાતી દીકરીની પિતાએ હત્યા કરી નાખી છે. જોકે હત્યા કર્યા બાદ પણ પિતાને સેજ પણ અફસોસ ન હોય તેમ પોલીસ સમક્ષ પોતે હાજર થયો છે. 

રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાં વિનાયક સોસાયટીમાં આ સમગ્ર બનાવ આજે વહેલી સવારે બન્યો હતો. સોસાયટીમાં રહેતા આશાબેન કુશવાહના લગ્ન ૨૦ વર્ષ પહેલાં સમાજના રિવાજ મુજબ દિલીપ કુશવાહ સાથે થયા હતા. લગ્નના લાંબા સમય સુધી તેઓને સંતાન ન થતા હતા. જેના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. 

જે બાદ થોડાક વર્ષો પહેલા મેડિકલ સારવાર થકી તેઓને દીકરીનો જન્મ થયો હતો. જોકે દિલીપ કુશવાહને દીકરી પોતાની ન હોય તેવી અવારનવાર શંકા થતી હતી જેના કારણે તે પત્ની સાથે ઝઘડો કરતો હતો અને છેલ્લા પાંચ મહિનાથી પત્ની અને દીકરીને તરછોડીને અલગ જગ્યાએ રહેતો હતો. 
મંગળવારે સવારના સમયે દિલીપ કુશવાહ ઘરે આવ્યો હતો અને તે દરમિયાન પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારે આવેશમાં આવીને તેણે પાંચ વર્ષની દીકરી ધરા ઉર્ફે પરી અને પત્ની આશા પર લોખંડની પાઇપ થી હુમલો કર્યો હતો. જેથી સ્થળ પર જ પાંચ વર્ષની દીકરીનું મોત નીપજ્યું હતું. 

આ ઘટનાની જાણ થતા રામોલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી તે દરમિયાન જ આરોપી દિલીપ કુશવાહ રામોલ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. રામોલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Recent Posts

રાજ્યના 6 જિલ્લામાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો કયાં જિલ્લાઓમાં પડશે વરસાદ

ઈરાનમાં અમેરિકાના હુમલા પર મહેબૂબા મુફ્તી થયા ગુસ્સે, ભારતની વિદેશ નીતિ પર પણ ઉઠાવ્યા સવાલો

પહેલગામ હુમલામાં NIAને મળી મોટી સફળતા, આતંકવાદીઓને આશ્રય આપનારા 2 ગુનેગારોની ધરપકડ

અમદાવાદ વિમાન દુર્ઘટના: 8 પીડિત પરિવારોના પહેલા નમૂના સાથે DNA મેચ ન થયો, બીજો નમૂનો મંગાવવામાં આવ્યો

અમેરિકાના બોમ્બમારા બાદ ઈરાને ઈઝરાયલ પર તેલ અવીવ સહિત અનેક શહેરો પર કર્યો હવાઈ હુમલો

ઈરાન અમેરિકી નૌકાદળને બનાવશે નિશાન? જાણો અમેરિકાના હુમલા પર ઈરાનની પ્રતિક્રિયા

ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો મોટો હુમલો, ત્રણ ન્યુક્લિયર સાઇટ ઉપર ફેંક્યા બંકર બસ્ટર બોમ્બ

ગુજરાત કોંગ્રેસના જિલ્લા શહેર પ્રમુખોની જાહેરાત, જાણો કોને કયા જિલ્લાની મળી જવાબદારી, વાંચો લિસ્ટ

Operation Sindhu: યુદ્ધ વચ્ચે ભારતે ફરી બતાવી તાકાત! અત્યાર સુધીમાં 827 ભારતીય નાગરિકોને ઈરાનથી સુરક્ષિત રીતે સ્વદેશ વાપસી

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કેટલા પીડિતોને મળી સહાય? જાણો એર ઇન્ડિયાએ શું કહ્યુ