હાર્ટ એટેક લીધો વધુ એકનો ભોગ, પાટણમાં 41 વર્ષીય વ્યક્તિનું થયુ મોત
41 વર્ષના રાજુભાઈ પ્રજાપતિ નિત્ય કર્મ મુજબ વહેલા ઉઠી બાથરૂમમાં ન્હાવા જતા મોત થયું છે. અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત નીપજ્યું છે.
સમગ્ર ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. મોતની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. દરરોજ ઘણા લોકોની જિંદગીનો અંત આવી જાય છે. આજે પાટણના ખોખરવાડામાં યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેમાં 41 વર્ષીય રાજુ પ્રજાપતિ અચાનક છાતીમાં દુખાવો થયો અને તેમનું મોત નીપજ્યું. રાજુભાઇ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. અચાનક તેમનું મોત નિપજવાથી પરિવાર સહિત સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આજકાલ લોકો 40 વર્ષની ઉંમરે અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. પહેલાના સમયમાં મોટાભાગના લોકોને 60 વર્ષની ઉંમરે હૃદય રોગનું જોખમ હતું. તે જ સમયે, મોટાભાગના લોકો 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકનો શિકાર બને છે. પાછલા કેટલાક વર્ષોમાં, 40 વર્ષની વયના કલાકારોથી લઈને સામાન્ય લોકો સુધીના દરેક લોકો હાર્ટ એટેકનો શિકાર બન્યા છે. હૃદય સંબંધિત બિમારીઓને કારણે મોટાભાગના લોકો નાની ઉંમરમાં જ મૃત્યુ પામી રહ્યા છે.
પાટણના ખોખરવાડા વિસ્તારમાં આવેલ રામની શેરીમાં રહેતા રાજુભાઈ પ્રજાપતિનું મોત નીપજ્યું છે. 41 વર્ષના રાજુભાઈ પ્રજાપતિ નિત્ય કર્મ મુજબ વહેલા ઉઠી બાથરૂમમાં ન્હાવા જતા મોત થયું છે. અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત નીપજ્યું છે. રાજુભાઈ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ હતા. અચાનક તેમના મોતથી પરિવાર સહિત સમાજમાં શોક ફેલાયો છે. સાથે સાથે ગામમાં પણ અરેરાટી ફેલાઈ છે કેમ કે સૌથી વધુ મોત હાર્ટ એટેકથી થઈ રહ્યા છે.