કરાચી એરપોર્ટ પર ઓપરેશન સિંદૂરથી ફફડાટ, PAKની તમામ ફ્લાઈટો રદ, PAAનો NOTAM જાહેર
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરીને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. ભારતીય સેનાના ઓપરેશનથી પાકિસ્તાન ડરી ગયું છે. પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાન સરકારે કરાચી એરપોર્ટને મધરાત 12 વાગ્યા સુધી બંધ કરી દીધું છે. આ અંગે NOTAM પણ જારી કરવામાં આવ્યો છે. અગાઉ, સરકારે લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ પર તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું.
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીનું નિવેદન
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA) એ બુધવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ પર તમામ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે દેશનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યું છે." બુધવારે, ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યા બાદ પાકિસ્તાને 48 કલાક માટે તેના હવાઈ ક્ષેત્રને બંધ કરવાની જાહેરાત કરી હતી.
પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો થયો નાશ
અહીં તમને એ પણ જણાવી દઈએ કે ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. ભારતે પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી પર હુમલો કરીને તેનો નાશ કર્યો છે. આ અંગેની માહિતી ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ભારતના હુમલામાં મિસાઇલ લોન્ચર્સને પણ ભારે નુકસાન થયું છે. પાકિસ્તાનને ચીન પાસેથી HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ મળી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats