લોડ થઈ રહ્યું છે...

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને લઈને અમદાવાદમાં વિરોધ, શહેરના તમામ વિસ્તરના હિન્દૂ સંગઠનો થયા એકઠા

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયેલા શેરના તમામ હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિંદુઓને સુરક્ષિત કરવાની માગ કરી છે. આ સાથે હિંદુ સંગઠનોને વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. સાથે ઇસ્કોનના ચિન્મય દાસજી મહારાજને મુક્ત કરવાની માગણી કરી છે. સમગ્ર સંત સમાજ હિંદુઓ પરના અત્યાચારને વખોડયા છે.

image
X
સોનલ અનડક્ટ,અમદાવાદ/ બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલા હુમલાને લઈને હિન્દૂ હિત રક્ષા સમિતિના ઉપક્રમે અમદાવાદમાં વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં શહેરના તમામ વિસ્તરના હિન્દૂ સંગઠનો એકઠા થયા છે. રિવરફ્રન્ટ ખાતે મોટી માનવ સાંકળ રચીને વિરોધ કર્યો છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા અટકાવવાની માંગ કરવામાં આવી છે. 

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયેલા શેરના તમામ હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિંદુઓને સુરક્ષિત કરવાની માગ કરી છે. આ સાથે હિંદુ સંગઠનોને વડાપ્રધાનને પત્ર  પણ લખ્યો છે. સાથે ઇસ્કોનના ચિન્મય દાસજી મહારાજને મુક્ત કરવાની માગણી કરી છે. સમગ્ર સંત સમાજ હિંદુઓ પરના અત્યાચારને વખોડયા છે. બાંગ્લાદેશમાં હિન્દુ સંગઠનો પર થઈ રહેલા હુમલાઓને લઈ આગામી દિવસોમાં સંત સમાજની બેઠક બોલાવાશે. આ સાથે સંતો એક મંચ પર એકત્રિત થઈ સરકારને રજુઆત કરશે. 
 

માનવસાંકળ બાદ યોજાઈ સભા
રિવરફ્રન્ટ ખાતે મોટી માનવ સાંકળ રચીને વિરોધ કર્યા બાદ  સભ્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં RSS સુપ્રીમો મોહન ભાગવતના સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચિન્મય કૃષ્ણ દાસજીની ધરપકડ ગેરકાયદે છે જેને RSS વખોડે છે. ભારત સરકાર બાંગ્લાદેશમાં થતા અત્યાચાર રોકવા પ્રયત્ન કરે. આ મુદ્દે વૈશ્વિક સહમતી સાધવા ભારત સરકાર પ્રયાસ કરે.  વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે આ પ્રયાસો જરૂરી છે. આ સતજે ઇસ્કોનના શ્યામચરણ દાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે. ભારતે વિશ્વને સનાતન ધર્મનો પરિચય કરાવ્યો. કોઈ દેશમાં પોતાના ધર્મના પાલનની સ્વતંત્રતા મળવી જોઈએ. આ સ્વતંત્રતાનું હનન કરનાર સામે કડક પગલાં લેવા જોઈએ. કેન્દ્ર સરકાર અને બાંગ્લાદેશ સરકારને અનુરોધ કે હિંસા બંધ કરે. ચિન્મય કૃષ્ણ દાસજી મહારાજને મુક્ત કરવામાં આવે. 

Recent Posts

Delhi Blast Case : અલ ફલાહ યૂનિવર્સિટી પર ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, UGCની ફરિયાદના આધારે 2 FIR નોંધાઈ

છોટાઉદેપુર: પાવીજેતપુરમાં LCBએ વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

તેલંગાણા હાઈકોર્ટની વેબસાઈટ હેક, કાનૂની દસ્તાવેજોને બદલે ખુલી સટ્ટા રાઇડ

Top News | રાજસ્થાનમાં ભારે ઠંડીની અસર | tv13 gujarati

ગાંધીનગર બાળહત્યા કેસ મામલે આરોપી અનિલનું રિકન્સ્ટ્રક્શન, 3 દિવસના રિમાન્ડ મંજૂર

સુરતમાં PM મોદીએ કહ્યું-'બિહારના લોકોએ જાતિવાદ પર રાજકારણને નકાર્યું, NDAને મળી ઐતિહાસિક જીત"

ગાંધીનગરની ગોસીપ..

ગુજરાત CID ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ગુના અને ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ, ત્રણની ધરપકડ

Narmada: ડેડિયાપાડામાં PM મોદીનો હુંકાર, કહ્યું-"કોંગ્રેસે 6-6 દાયકા સુધી આદિવાસી સમાજને તેમના હાલ પર છોડી દીધો"

દિલ્હી બ્લાસ્ટને લઇ 200 ડોક્ટરો NIAની રડાર પર, એક બાદ એક બધાની કરાશે પૂછપરછ