લોડ થઈ રહ્યું છે...

કોઈનો શ્વાસ રૂંધાયો તો કોઈના હાડકા તૂટ્યા, હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ નાસભાગમાં ફસાયેલા લોકોએ જણાવી આપવીતી

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે બેકાબૂ ભીડે એકબીજાને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 18 લોકોના કરૂણ મોત થયા હતા અને 25થી વધુ લોકો ઘાયલ થયા હતા.

image
X
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા અને 25 થી વધુ લોકો ઘાયલ થયા હતા. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે નાસભાગ મચી ગઈ હતી. જે બાદ મૃતકોને દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘાયલોને લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાયલ અને મૃતકોની હાલત સાંભળીને તમારા રુવાડા ઉભા થઈ જશે.

હોસ્પિટલમાં ઘાયલોની હાલત કેવી?
નાસભાગમાં દટાયેલા ઘાયલોને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું હતું કે મોટાભાગના દર્દીઓને શરીરના નીચલા ભાગમાં જ ઈજાઓ થઈ હતી અને કેટલાકને હાડકામાં ઈજા થઈ હતી. ચાર લોકો નિરીક્ષણ હેઠળ છે અને બાકીનાને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. મોટાભાગના દર્દીઓની હાલત હાલ સ્થિર છે. 15 ડોક્ટરોની ટીમ ઘાયલ દર્દીઓની સંભાળ લઈ રહી છે.

ગૂંગળામણને કારણે લોકોના થયા મોત
તે જ સમયે, નાસભાગમાં મૃત્યુ પામેલા 18 લોકોના મૃતદેહને આરએમએલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના સ્ટાફના સૂત્રએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં લાવવામાં આવેલા મોટાભાગના મૃતદેહોને છાતી અને પેટમાં ઇજાઓ હતી અને તેઓ શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા. આ ભયાનક અકસ્માત પ્લેટફોર્મ નંબર 13, 14 અને 15 વચ્ચે થયો હોવાનું જાણવા મળે છે. જ્યાં મહાકુંભમાં જવા માટે સાંજે 4 વાગ્યાથી જ સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી હતી. લોકો પોતાનો સામાન લઈને સ્ટેશન પહોંચવા લાગ્યા હતા. રાત્રે લગભગ 8:30 વાગ્યે પ્રયાગરાજ જતી ત્રણ ટ્રેનો મોડી પડી, ત્યારબાદ સ્ટેશન પર એટલી બધી ભીડ એકઠી થઈ ગઈ કે ટ્રેનની રાહ જોઈને ટ્રેનનું પ્લેટફોર્મ બદલતા જ નાસભાગ થઈ ગઈ અને ભીડ બેકાબૂ થઈ ગઈ હતી.

અકસ્માતની તપાસ માટે બે સભ્યોની કમિટીની કરવામાં આવી રચના
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગને લઈને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા, સ્પેશિયલ સીપી રોબિન હિબ્બુ, સ્પેશિયલ સીપી એલ એન્ડ ઓ રવિન્દ્ર યાદવ અને જોઈન્ટ સીપી વિજય સિંહ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રેલવે ડીસીપી ઓફિસ પહોંચ્યા, જ્યાં તેઓએ દિલ્હી પોલીસ દ્વારા તૈયાર કરાયેલા પ્રાથમિક તપાસ રિપોર્ટ પર બેઠક કરી. અહીં, અકસ્માતની તપાસ માટે બે સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં ઉત્તર રેલવેના બે અધિકારીઓ નરસિંહ દેવ અને પંકજ ગંગવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિએ નવી દિલ્હી રેલવે સ્ટેશનના તમામ સીસીટીવી વીડિયો ફૂટેજને સુરક્ષિત કરવાનો આદેશ આપ્યો છે.