લોડ થઈ રહ્યું છે...

T20 WC 2024: લો સ્કોરિંગ મેચમાં ભારતની શાનદાર જીતના આ ટર્નિંગ પોઈન્ટ પોઈન્ટ રહ્યા

ભારતીય ટીમે રોમાંચક લો સ્કોરિંગ મેચમાં પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ માત્ર 119 રન બનાવી શકી હતી અને પાકિસ્તાનની ટીમે 120 રનનો પીછો કરતા શરણાગતિ સ્વીકારી હતી. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં એક સમયે પાકિસ્તાનની ટીમ જીતની નજીક દેખાતી હતી, પરંતુ આ મેચમાં પાકિસ્તાનની રમત કેવી રીતે બગડી અને કેવી રીતે ભારતીય ટીમે પાકિસ્તાનના જડબામાંથી જીત છીનવી લીધી.

image
X
ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2024ની સૌથી ચર્ચિત મેચ જીતી લીધી છે. ભારતીય ટીમે રોમાંચક લો સ્કોરિંગ મેચમાં પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ માત્ર 119 રન બનાવી શકી હતી અને પાકિસ્તાનની ટીમે 120 રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમએ સારી શરૂઆત કરવા છતાં છેલ્લે ભારતીય ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં મેચ જીતી હતી. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં એક સમયે પાકિસ્તાનની ટીમ જીતની નજીક દેખાતી હતી, પરંતુ આ મેચમાં પાકિસ્તાન પર ભારત ભારે પડ્યું એના અમુક કારણો છે જે મેચના ટર્નિંગ પોઈન્ટ બની ગયા. ત્યારે ચાલો જોઈએ કે કયા મેચના મેઈન ટર્નિંગ પોઈન્ટ રહ્યા જેણે ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ 2024ની સતત બીજી જીત અપાવી.

રિષભનું બેટિંગમાં રાજ 
એક તરફ ન્યૂયોર્કની પીચ પર બેટ્સમેનો રન બનાવવા માટે તડપતા હતા, એ જ પીચ પર રિષભ પંતે ખતરનાક બેટિંગ કરી અને ટીમ માટે 31 બોલમાં 42 રન બનાવ્યા. તેના કેટલાક કેચ ભલે નાના હતા, પરંતુ આ ઇનિંગ ટીમ ઇન્ડિયા માટે જીતનું વરદાન સાબિત થયું. અક્ષર પટેલ સાથે તેની ભાગીદારી પણ સારી રહી હતી. પંતની આ ઇનિંગના કારણે ભારત 120ની નજીક પહોંચી શક્યું હતું. માત્ર પંતની બેટિંગ જ નહીં પરંતુ તેના ત્રણ કેચ પણ ટીમ ઈન્ડિયા માટે જીતનો સંદેશ હતા. 

જસપ્રિતનો જુસ્સો 
જસપ્રિત બુમરાહે પાકિસ્તાન સામે 4 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ લીધી હતી. ન્યૂયોર્કની પિચ પર બપોરે 119 રનનો બચાવ કરવો મુશ્કેલ લાગતું હતું, પરંતુ બુમરાહના સ્પેલે પાકિસ્તાનનું નસીબ બદલી નાખ્યું. તેણે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ઈફ્તિખાર અહેમદને આઉટ કર્યા હતા. બુમરાહની આ બોલિંગ પાકિસ્તાન માટે આફત બની ગઈ. જ્યારે બુમરાહે રિઝવાનને બોલ્ડ કર્યો તો ત્યાંથી આખી મેચ બદલાઈ ગઈ, કારણ કે તે એકમાત્ર બેટ્સમેન હતો જે પરિસ્થિતિ અનુસાર રમી રહ્યો હતો. 

શર્માજીની શાનદાર કેપ્ટનશીપ
અક્ષર પટેલને નંબર 4 પર મોકલવો હોય, બોલિંગમાં ફેરફાર કરવો હોય કે બોલરોના હિસાબે ફિલ્ડિંગ હોય આ બધામાં કેપ્ટન શર્માજી બાજી મારી ગયા. રોહિતે ત્રણ સ્પેલમાં બુમરાહની ચાર ઓવર ફેંકાવી હતી એ આ જીતનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો, કારણ કે તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. સ્પિનને મોડેથી રજૂ કરવા બદલ તેની ટીકા થઈ હતી, પરંતુ રોહિતને તેના ઝડપી બોલરોમાં વિશ્વાસ હતો અને આ ટીમ માટે કામ કર્યું હતું.  


Recent Posts

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને થયું ભારે નુકસાન, જૂઓ ક્યાં પહોંચી પોઈન્ટ ટેબલમાં

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી IPL 2026 નહીં રમે રવિન્દ્ર જાડેજા, CSKએ RR સાથે સેમસનના બદલામાં જાડેજાનો કર્યો ટ્રેડ

IPL 2026 ની ઓક્શનની થઈ ગઈ જાહેરાત, વિદેશી ધરતી પર આ દિવસે ખેલાડીઓની થશે હરાજી, જાણો વિગત

અમદાવાદમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય AFC અન્ડર-17 ફૂટબોલ ક્વોલિફાયર્સનું આયોજન

રમતગમત મંત્રાલયે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમને તોડી પાડવાનો લીધો મોટો નિર્ણય, જાણો કેમ

રવિન્દ્ર જાડેજાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું 'ગાયબ', CSK છોડવાની શરુ થઈ ગઈ અટકળો

શું IPL 2026માં ધોની રમશે..? વાત થઇ ગઇ સ્પષ્ટ, CSKના CEOએ આપી મોટી અપડેટ, વાંચો

T20 વર્લ્ડ કપ 2026 અંગે મોટી જાહેરાત, 5 સ્થળો કરવામાં આવ્યા શોર્ટલિસ્ટ, જાણો ક્યાં રમાશે ફાઇનલ

India vs Australia 4th T20I: ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું, શ્રેણીમાં 2-1 ની મેળવી લીડ

મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી, ક્રિકેટર રૈના અને શિખર ધવનની મિકલત કરી જપ્ત