લોડ થઈ રહ્યું છે...

ગોપાલ ઇટાલિયાના પ્રમોશન મામલે પોલીસ તંત્રએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું હતું કે તેમણે નોકરીમાંથી રાજીનામાં બાદ હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યું છે. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા આ મામલે એક સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સોસીયલ મીડીયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. ગોપાલ ઇટાલીયાએ પોષ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે.

image
X
આજે સવારે ગોપાલ ઇટાલિયાની એક ટ્વિટથી પોલીસ તંત્રની બેદરકારી સામે આવી હોય તેવું લાગી રહ્યું હતું. આમ આદમી પાર્ટીના નેતાએ  કહ્યું હતું કે તેમણે નોકરીમાંથી રાજીનામાં બાદ હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યું છે. જેને લઈને પોલીસ તંત્ર દ્વારા આ મામલે એક સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સોસીયલ મીડીયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે.  ગોપાલ ઇટાલીયાએ પોષ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે. 

પોલીસે એક પત્ર જાહેર કર્યો છે. તેમ કહ્યું છે કે, અમુક સોસીયલ મીડીયામાં ગોપાલ ઇટાલીયાએ સને 2015 માં નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને સને 2024 માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે.તાજેતરમાં અમદાવાદ શહેરમાં 137  હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકે બઢતી આપવામાં આવેલ.અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના આપેલ. જેથી આ બઢતી આપવા માટે કુલ 887  નામો પ્રવર્તતા યાદીના આધારે રૂટીન મુજબ વિગત મંગાવેલ, જે બઢતી માટેની પ્રક્રિયાનો એક ભાગ હતો. બઢતી આપવા માટે આ 887 કર્મચારીઓ વિરૂધ્ધમાં કોઇ ખાતાકીય તપાસ/ ફોજદારી/ એસીબી કેસ ચાલુ છે કે કેમ? તેની માહિતી 48  કલાકમાં મોકલી આપવા તા.2/8/2024 ના રોજની યાદીથી જણાવવામાં આવેલ. આ નામોમાં તા.11/01/2012  સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલના નામોનો સમાવેશ કરવાનો થતો હોઇ અને ગોપાલ ઇટાલીયા સને 2012 માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોઇ, તે યાદીમાં તેમનું નામ છે. પરંતુ તેમના નામની સામે કોઇ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી. જેથી સ્પષ્ટ રીતે જણાવવાનું કે  ગોપાલ ઇટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. સોસીયલ મીડીયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે.  ગોપાલ ઇટાલીયાએ પોસ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે. 

જાણો શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ 
ગોપાલ ઇટાલિયાએ આ મામલે આપ્યું નિવેદન આપ્યું છે. તેમેને કહ્યું છે કે,  ભાજપે મને જે પ્રમોશન આપ્યું તે બદલ આભાર. 10 વર્ષ પહેલા રાજીનામું આપ્યા છતાં હજુ સુધી નામ હટ્યું નથી. બેદરકારી, ગેરવહીવટનો, નિષકાળજીનો ઉત્તમ દાખલો છે. જે માણસ રાજીનામું આપે છે તેનું નામ કેવી રીતે કાગળ પર આવ્યું?  મારાં નામની જગ્યા પર કોઇ મગન છગનનું નામ આવી જાય અને એ વ્યક્તિ હાજર થઈ જાય તો? કેટલી મોટી બેદરકારી હોય શકે છે. એક બાજુ નકલી અધિકારીઓ પકડાય છે એનો હજુ મેલ નથી પડતો ઉપરથી આવી લાલિયા વાડી ? 

Recent Posts

એલોન મસ્કને લાગ્યો ઝટકો! ફેડરલ કોર્ટનો આદેશ-DOGE ને અમેરિકનોનો વ્યક્તિગત ડેટા મળશે નહીં

અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયાની ધરપકડ, 2 આતંકવાદી સંગઠનો સાથે છે સંબંધો

દિલ્હીના સીલમપુરથી હિન્દુઓનું સ્થળાંતર! યુવકની હત્યા બાદ વિસ્તારમાં ગભરાહટ, PM મોદી અને CM યોગી પાસે માંગી મદદ

સીઝનની વચ્ચે આ ખેલાડીને મળ્યું IPL ટીમમાં સ્થાન, ઓક્શનમાં રહ્યો હતો અનસોલ્ડ

અમેરિકી દળોએ ફરી એકવાર હુથી બળવાખોરો પર વિનાશ વેર્યો, તેલ બંદરગાહ પર બોમ્બમારો, 38 લોકોના મોત, 102 લોકો ઘાયલ

ટ્રમ્પને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો! નાગરિકતાનો નિર્ણય મુલતવી રાખ્યો, હવે શું થશે? જાણો

ગુજરાત-રાજસ્થાનમાં ગરમીનું એલર્ટ, આ રાજ્યોમાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

રાજકોટમાં છાશ પીધા બાદ 25 બાળકોને ફૂડ પોઇઝનિંગ, 1ની હાલત ગંભીર

ફ્લોરિડા યુનિવર્સિટીમાં ગોળીબાર, 2 લોકોના મોત અને 5 ઘાયલ, 20 વર્ષીય હુમલાખોરની ધરપકડ

આજનું રાશિફળ/18 એપ્રિલ 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમારું રાશી ભવિષ્ય