લોડ થઈ રહ્યું છે...

પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસના કારણે ત્રણ બાળકોના મોત, આરોગ્ય વિભાગ હરકતમાં

image
X
પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસના કારણે ત્રણ બાળકોના મોત નીપજ્યા છે ત્યારે tv13ની ટીમ શહેરા તાલુકાના ડોકવા ગામે પહોંચી હતી અને પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે કઈ રીતે તે આ ભેદી વાયરસ આઠ વર્ષ અક્ષયને ભરખી જતા પરિવાર સહીત આસપાસમા લોકો મા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચોમાસુ શરૂ થતા જ ગ્રામીણ વિસ્તારોમા આવેલા કાચા તેમજ લિપણ વાળા માટીના મકાનોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ પ્રમાણ મા જોવા મળતો હોય છે તેમજ આવી જગ્યાએ મચ્છર સહીત બીજી અનેક જીવાતો જોવા મળતી હોય છે. ત્યારે ગત વર્ષે આ સમયે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસે  જિલ્લામા આરોગ્ય વિભાગને દોડતું કરી દીધું હતું ત્યારે આ શંકાસ્પદ વાયરસ વધુ ના વકરે તેમજ આ વાયરસના મુખ્ય લક્ષણો તેમજ તે કઇરીતે ફેલાય છે તે માટે પુણેથી નિષ્ણાંતો ની ટીમ આવી અને અસરગ્રત વિસ્તારોમા સર્વ હાથ ધારી પરિવારજનો તેમજ પશુઓ, ઉંદર સહીત ના અલગ અલગ લોહીના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેને પુના ખાતે આવેલ લેબમાં મોકલવામાં આવ્યા હતા.

ત્યારે હાલ ચોમાસાની શરૂઆત થાત જ જિલ્લા મા ભેદી વાયરસ ના ઝપેટમા હાલોલ, ગોધરા અને શહેરા તાલુકાના ચાર બાળકો આવ્યા હતા જે પૈકી ત્રણ ના મોત નીપજ્યા છે અને હાલ એક બાળકની વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.જોકે ત્રણેય બાળકોના ચાંદીપુરમ અંગે ના રિપોર્ટ નેગીટીવ આવ્યા છે અને ચોથા બાળકનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. પંચમહાલ જિલ્લામા એક સાથે ICMR ની ટિમો સર્વે માટે અસરગ્રત વિસ્તારોમાં ઉપરી છે અને શંકાસ્પદ વાયરસ ની ઝપેટ મા વધુ બાળકો ન આવે તેના માટે આરોગ્ય વિભાગ ને સાથે રાખી સર્વે હાથ ધર્યો છે અને શંકાસ્પદ સ્થળો એથી સેમ્પલો લેવા સહીત ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પરિવાર જનો સાથે ટીવી ૧૩ ની ટીમ દ્વારા વાતચીત કરતા તેઓ ભાવુક થયા હતા, ૮ વર્ષીય અક્ષય નું મૃત્યુ થયું તેના આગલા દિવસે શાળાએથી આવ્યો પરિવાર સાથે સાથે મોજમસ્તી સાથે ભોજન કરીને રાત્રે તેની અચાનક તબિયત લથડી હતીજેને લઈને સવારે તેને શહેરા ખાતે ખસેડાયો હતો જ્યાંથી ગોધરા અને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો જ્યાં ટૂંકી માંદગી બાદ અક્ષયનું મોત નીપજ્યું હતું. પરિવાર સદસ્યોના મત અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન કે વધુ તપાસની કોઈ આપવીતી દર્શવાઇ ન હતી.

Recent Posts

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18મો મૃતદેહ મળ્યો, હજી લાપતા 2 વ્યક્તિની શોધખોળ ચાલુ

ગુજરાતમાં હવે મેઘમંડાણ! અત્યાર સુધીમાં 70 તાલુકામાં મેઘ મહેર, ક્યા શહેરમાં કેટલો વરસાદ ખાબક્યો?

તંત્રની લાપરવાહીનો ભોગ બનનાર નિર્દોષ જનતાના મોતના આંકડા વધે ત્યારે સરકાર મૌન કેમ હોય છે?

Ambaji: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની થઇ શકે છે જાહેરાત

TOP NEWS | કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ ? |tv13gujarati

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મોટી કાર્યવાહી, માર્ગ-મકાન વિભાગના 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

સુરત: મોબાઇલ વેંચવા બાબતે ખેલાયો ખૂની ખેલ, મિત્રોએ જ યુવકની કરી નિર્મમ હત્યા, જાણો સમગ્ર મામલો

ગુજરાતની વિવિધ નગરપાલિકાના 29 ચીફ ઓફિસરોની બદલીનો ધમધમાટ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આપ્યા આદેશ, વાંચો લિસ્ટ

Surat: મુંબઈ-અમદાવાદ NH 48 પર અકસ્માત, ટ્રકે બાઇકને અડફેટે લેતા 2ના મોત