વાઘની 'સાધુતા' : ભલે પરાણે પણ અહીં વાઘ પણ અઠવાડીયે એક દિવસ શનિવારે કરે છે ઉપવાસ, જાણો શા માટે?
આહારની સંતુલનતા દરેક માટે ખુબ જ જરૂરી બાબત છે ભલેને તે માણસ હોય કે પ્રાણી કે પછી ભલેને તે માંસાહારી હોય કે શાકાહારી. શું તમે ક્યારેય વાઘ - સિંહ જેવા પ્રાણીને એક દિવસનો નિયમિત અપવાસ કરતા જોયા છે. નહીં તો આવું આ જગ્યાએ જોવામાં આવશે અને તેની પાછળ કારણ પણ છે.
આપણે પૃથ્વી પરના સૌથી ખતરનાક અને ઘાતક જીવો વિશે વાત કરીએ છીએ, ત્યારે વાઘ ટોચના પાંચમાં સ્થાન મેળવશે. આ માંસાહારી પ્રાણીઓ કુદરત દ્વારા સંપૂર્ણ રીતે પાક્કા શિકારી બનાવવામાં આવ્યા છે, અને તેઓ તેમના શિકારનો કોળીયો કરતી વખતે કોઈ દયા બતાવતા નથી. વાઘ સંપૂર્ણપણે માંસાહારી છે અને જીવિત રહેવા માટે માંસ પર આધાર રાખે છે. પરંતુ આ પ્રાણી સંગ્રહાલયમાં આ માંસાહારી પ્રાણીઓ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરે છે. તે દિવસે, તેઓ બિલકુલ માંસ ખાતા નથી. પરંતુ શા માટે આ શિકારીઓ આટલી અલગ રીતે વર્તે છે?
એક માધ્યમનાં અહેવાલ જણાવ્યા મુજબ, નેપાળનું સેન્ટ્રલ ઝૂ આવા અનોખા નિયમનું પાલન કરે છે, જ્યાં વાઘને આખા દિવસ માટે રખેવાળો દ્વારા જાણી જોઈને ભૂખ્યા રાખવામાં આવે છે. પ્રાણી સંગ્રહાલયના માહિતી અધિકારી ગણેશ કોઈરાલાના જણાવ્યા અનુસાર, વાઘને તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે દર શનિવારે 'ઉપવાસ' રખાવામાં આવે છે. ઉપવાસ દરમિયાન પશુઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. વાઘને 'ઉપવાસ' પર રાખવા પાછળનું કારણ એ છે કે, "તેમને વજન વધવાથી બચાવવા, અમે તેમને ઉપવાસ પર રાખીએ છીએ," તેમણે ઉમેર્યું કે,
પ્રાણી સંગ્રહાલયમાં માદા વાઘને પાંચ કિલો ભેંસનું માંસ આપવામાં આવે છે અને નર વાઘ દરરોજ 6 કિલો માંસ ખાય છે. પરંતુ શનિવારના દિવસે રખેવાળો તેમની પાચનક્રિયાને મજબૂત બનાવવા માટે તેમને માંસ ખવડાવતા નથી કારણ કે જ્યારે આ પ્રાણીઓ મેદસ્વી થઈ જાય છે, ત્યારે તેને સ્વાસ્થ્યને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.
દવા પર આધાર રાખવો એ સ્વાસ્થ્યનું સંચાલન કરવા માટે એક સરળ માર્ગ જેવું લાગે છે, પરંતુ તે શ્રેષ્ઠ માર્ગ નથી અને લાંબા ગાળાના પ્રોબ્લમમાં પરિણમી શકે છે. સુસંગતતા અને નિયમિતતા આરોગ્યની સ્થિતિમાં સુધારો કરવાનો માર્ગ મોકળો કરી શકે છે. નિષ્ણાતોએ પણ નોંધ્યું છે કે જ્યારે વાઘ કે કોઇ પણ માંસાહારી જીવ એક દિવસ ઉપવાસ કરે છે ત્યારે માંસાહારી જીવોના સ્વાસ્થ્ય પર નોંધપાત્ર હકારાત્મક અસર પડે છે.
વાઘ તેમના વૈવિધ્યસભર આહાર માટે જાણીતા છે જે નાના જંતુઓ જેવા કે ઉધઈથી લઈને મોટા હાથીના વાછરડા સુધીનો હોય છે. તેમ છતાં, તેમનું પ્રાથમિક પોષણ મોટા પ્રાણીઓ જેમ કે મૂઝ, હરણ, ડુક્કર, ગાય, ઘોડા, ભેંસ અને બકરાં જેનું વજન ઓછામાં ઓછું 20 kg (45 lbs) હોય છે તેના સેવનથી મળે છે. તેઓ ક્યારેક-ક્યારેક એશિયન જંગલી કૂતરા, રીંછ, તાપીર અને હાથીઓ અને ગેંડાના બચ્ચાઓની મિજબાની પણ માણે છે. નેપાળનું સેન્ટ્રલ ઝૂ, જવાલાખેલના પડોશમાં આવેલું છે, જે 109 અલગ-અલગ પ્રજાતિઓમાંથી આવેલા 969 પ્રાણીઓને ઘર પૂરું પાડે છે. હાલમાં નેશનલ ટ્રસ્ટ ફોર નેચર કન્ઝર્વેશન (NTNC) દ્વારા સંચાલિત છે, આ પ્રાણી સંગ્રહાલય કે જે 6 હેક્ટર અથવા 15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે તે સૌપ્રથમ એક ખાનગી સંસ્થા હતી, પછીથી 1956 માં તેના દરવાજા જાહેર જનતા માટે ખોલ્યા હતા.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/