લોડ થઈ રહ્યું છે...

Vadodara Rain: વડોદરામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી

image
X
હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન બપોરે 2 વાગ્યાથી સતત બે કલાક સુધીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. વડોદરા શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. માર્ગો ઉપરના દુકાનદારો ચિંતામાં મુકાઈ ગયા હતા.

વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદને પગલે કોર્પોરેશન પણ ચિંતામાં મુકાઈ ગયું હતું. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી ગઇ હતી. અનરાધાર વરસેલા વરસાદને પગલે વડોદરા શહેરના એમ. જી. રોડ, રાવપુરા રોડ, અમદાવાદી પોળ, દાંડિયા બજાર, ચોખંડી, વાડી ટાવર, વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા, ખોડીયાર નગર, ગોત્રી, સુભાનપુરા, તરસાલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

ગુજરાતમાં 4 વાગ્યા સુધીમાં 126 તાલુકામાં વરસાદ 
ગુજરાતમાં સવારે 6થી બપોરના 4 વાગ્યા સુધીમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દ્વારકામાં 4.45 ઈંચ વરસાદ ખાબક્યો છે.  કલ્યાણપુરમાં 3.58 ઈંચ, વલસાડના ધરમપુરમા 3.46 ઈંચ , કપરાડામાં 3.90 ઈંચ ,વાપીમાં 3.15 ઈંચ, તાપીના વ્યારામાં 3.46 ઈંચ, તાપીના સોનગઢમાં 3.15 ઈંચ, તાપીના ડોલવણમાં 2.99 ઈંચ, નવસારીના વાસંદામાં 3.35 ઈંચ, સુરત બારડોલીમાં 2.64 ઈંચ, નવસારીનાં ખેરગામમાં 2.72 ઈંચ,ડાંગના વઘઇમાં 3.27 ઈંચ,  ડાંગ આહવામા 3.27 ઈંચ, નર્મદાના ડેડીયાપાડામાં 2.68 ઈંચ, સુરત ઉમરપાડામાં 2.56 ઈંચ, 7 તાલુકામાં 2 ઈંચથી વધુનો વરસાદ અન્ય તાલુકામાં અડધા ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી આગાહી છે. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની શક્યતા છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ , તાપી, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Recent Posts

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18મો મૃતદેહ મળ્યો, હજી લાપતા 2 વ્યક્તિની શોધખોળ ચાલુ

ગુજરાતમાં હવે મેઘમંડાણ! અત્યાર સુધીમાં 70 તાલુકામાં મેઘ મહેર, ક્યા શહેરમાં કેટલો વરસાદ ખાબક્યો?

તંત્રની લાપરવાહીનો ભોગ બનનાર નિર્દોષ જનતાના મોતના આંકડા વધે ત્યારે સરકાર મૌન કેમ હોય છે?

Ambaji: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની થઇ શકે છે જાહેરાત

TOP NEWS | કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ ? |tv13gujarati

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મોટી કાર્યવાહી, માર્ગ-મકાન વિભાગના 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

સુરત: મોબાઇલ વેંચવા બાબતે ખેલાયો ખૂની ખેલ, મિત્રોએ જ યુવકની કરી નિર્મમ હત્યા, જાણો સમગ્ર મામલો

ગુજરાતની વિવિધ નગરપાલિકાના 29 ચીફ ઓફિસરોની બદલીનો ધમધમાટ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આપ્યા આદેશ, વાંચો લિસ્ટ

Surat: મુંબઈ-અમદાવાદ NH 48 પર અકસ્માત, ટ્રકે બાઇકને અડફેટે લેતા 2ના મોત