આજ રાતથી જ હાઈવે પર મુસાફરી કરવી થશે મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં કર્યો વધારો

હાઇવે ટોલ ટેક્સના વાર્ષિક સુધારણા અગાઉ 1 એપ્રિલથી અમલમાં આવવાના હતા, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો.

image
X
અત્યારે માત્ર એક્ઝિટ પોલ જ સામે આવ્યા છે, જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. આ દરમિયાન NHAIએ એક મોટો નિર્ણય લીધો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સમગ્ર દેશમાં ટોલ દરમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે હાઇવે પર ચાલતા વાહન ચાલકોએ સોમવારથી વધુ પૈસા ચૂકવવા પડશે. એટલે કે આજ રાતથી જ ટોલ ટેક્સમાં વધારો થવાનો છે.

NHAI સોમવારે મધ્યરાત્રિ 12 થી બે મહિના માટે પેન્ડિંગ વધેલા ટોલ દર લાગુ કરશે. આ વધારો, જે 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, દેશમાં સામાન્ય ચૂંટણીઓને કારણે લાગુ થયેલી આચારસંહિતાને કારણે અટકાવવામાં આવ્યો હતો. આ વાર્ષિક સુધારણા સરેરાશ પાંચ ટકાની રેન્જમાં હોવાની શક્યતા છે.

NHAIના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે નવા વપરાશકર્તાઓ માટે ફી 3 જૂન, 2024થી લાગુ થશે. ટોલ ટેક્સમાં આ ફેરફાર જથ્થાબંધ ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવાના ફેરફારોને અનુરૂપ દરોમાં સુધારો કરવાની વાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે. નેશનલ હાઈવે નેટવર્ક પર અંદાજે 855 યુઝર ફી પ્લાઝા છે, જેના પર ગ્રાહકો પાસેથી નેશનલ હાઈવે ફી (દર અને કલેક્શનનું નિર્ધારણ) નિયમો, 2008 મુજબ વસૂલવામાં આવે છે.

Recent Posts

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ઠેર ઠેર ઈવીએમ ખોટકાયા, તો ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા

કોઈનો શ્વાસ રૂંધાયો તો કોઈના હાડકા તૂટ્યા, હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ નાસભાગમાં ફસાયેલા લોકોએ જણાવી આપવીતી

શું રેલવે સ્ટેશનમાં આવનારા લોકોની સંખ્યા પર કોઈ મર્યાદા છે, કેવી રીતે રોકી શકાય ભાગદોડ?

અમેરિકાથી ડિપોર્ટ થયેલા બે યુવકોની પટિયાલા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

કચ્છ: મતદાન પ્રક્રિયા અંગે રાપરના MLA વિરેન્દ્રસિંહ જાડેજાનું મોટું નિવેદન, કોંગ્રેસના નેતા પર લગાવ્યા ગંભીર આરોપ

ભાગદોડ કેમ થઈ? સીડીઓ પર શું પરિસ્થિતિ હતી અને રેલ્વે અધિકારીઓ ક્યાં હતા? તપાસ ટીમે પુરાવા કર્યા એકત્રિત

'એલોન મસ્ક મારા બાળકના પિતા', ઇન્ફ્લુએન્સરનો દાવો; મસ્કે આપ્યો આ જવાબ

પ્રયાગરાજમાં ભારે ટ્રાફિક જામ, જિલ્લાની સરહદો પર વાહનોની અનેક કિલોમીટર લાંબી લાગી લાઇન

ભાવનગર: સિહોર તાલુકાની GIDC-1માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટ, ચાર શ્રમિકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કામ કરતાં કુલીએ જણાવ્યું ઘટના અંગે, કહ્યું- અમે ઓછામાં ઓછા 15 મૃતદેહો ઉપાડ્યા અને એમ્બ્યુલન્સમાં મૂક્યા