લોડ થઈ રહ્યું છે...

કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે, તિરંગા યાત્રામાં અમિત શાહે આપી હાજરી, વિકાસલક્ષી કાર્યોને મળશે વેગ

image
X
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેઓ અમદાવાદના સાણંદમાં તિરંગા યાત્રામાં જોડાયા હતાં. નળ સરોવર ચાર રસ્તાથી નીકળીને આ તિરંગા યાત્રા મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી જશે. 

સાણંદમાં અમિત શાહ તિરંગા યાત્રામાં જોડાયા
અમદાવાદના સાણંદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા છે. સાથો સાથ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણી અને મોટી સંખ્યા લોકો આ યાત્રામાં જોડાયા હતા. અત્રે જણાવીએ કે, ઓપરેશન સિંદૂરે દેશમાં ડંકો વગાડ્યો છે. પાકિસ્તાનને ધ્રુજાવી દેનાર એવા આપણા દેશના સેનાના જવાનોના સન્માનને લઈ આ ખાસ દેશ ભક્તિની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહેસાણાના ગોજારિયામાં નર્સિંગ કોલેજ ભવનનું ઉદ્ઘાટન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણાના ગોજારિયાની મુલાકાતે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નર્સિંગ કોલેજ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. શ્રીમતી એસ સી અને શેઠ ડી એમ સાર્વજનિક ટ્રસ્ટ, ગોઝારિયા સંચાલિત શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત મકાનનું  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 

અમિત શાહના હસ્તે કુલ 1692 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે...સાથો સાથ ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર બનનારા ઓવરબ્રિજ અને સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અમિત શાહના હસ્તે કુલ 1692 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

Recent Posts

Gujarat by Election 2025: વિસાવદર અને કડી પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ, જાણો કેટલા ટકા થયું મતદાન

PM મોદીની વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, વલસાડના વાપીમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા, જાણો તમારા શહેરની સ્થિતિ

ભરૂચ: લક્ઝરી બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, એલસીબી પોલીસે 2ની કરી ધરપકડ

સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં 119 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા, ડિપોર્ટ કરવાની કાર્યવાહી તેજ

અમદાવાદ વિમાન દુર્ઘટના: મૃત્યુઆંક વધી શકે છે, પોલીસ કમિશનરે કહ્યું-'318 શરીરના ભાગો મળ્યા'

Gujarat by Election 2025: ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ! બપોરે 3 વાગ્યા સુધીમાં કડીમાં 46.33% અને વિસાવદરમાં 47.67% મતદાન નોંધાયું, મતદારોમાં ભારે ઉત્સાહ

ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું

Gujarat Monsoon: ગુજરાતમાં અત્યાર સુધીમાં 91 તાલુકામાં મેઘ મહેર, વાપીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો

અમદાવાદમાં ભારે વરસાદને કારણે ચારે બાજુ ભરાયા પાણી, શહેરના 5 અંડરપાસ કરાયા બંધ