લોડ થઈ રહ્યું છે...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી સિઝફાયરનો લીધો શ્રેય, કહ્યું-"ભારત-પાકિસ્તાનને પરમાણુ યુદ્ધથી બચાવ્યું"

image
X
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય પોતાના નામે કર્યો છે. એક ન્યૂઝ મીડિયાને ઇન્ટર્વ્યૂમાં વાત કરતા ટ્રમ્પે કહ્યું કે આ એક મોટી સફળતા છે, પરંતુ મને તેનો શ્રેય ક્યારેય આપવામાં આવશે નહીં. અમેરિકાના હસ્તક્ષેપને કારણે વિશ્વ અને ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધથી બચી ગયા. બંને દેશો વચ્ચે ઘણી નફરત છે અને આ વખતે તણાવ એટલી ચરમસીમાએ પહોંચી ગયો હતો કે તેનું પરિણામ પરમાણુ યુદ્ધમાં આવ્યું હોત... 



 ટ્રમ્પના દાવાનો ભારતે કર્યો અસ્વીકાર
આ પરથી લાગી રહ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લઇ રહ્યા છે. પરંતુ ભારત સરકાર ટ્રમ્પના દાવાને સ્વીકારી રહી નથી; તેના બદલે, સરકાર કહી રહી છે કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચેની વાતચીતને કારણે યુદ્ધવિરામ થયો છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે કોઈપણ ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો ઇનકાર કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે વાત કરીને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવી શકે છે. ટ્રમ્પે એક ટ્વીટ લખીને બંને દેશોને કાશ્મીર મુદ્દાના ઉકેલમાં મદદ કરવાની ઓફર કરી હતી, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથેના વિવાદને ઉકેલવા માટે કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી. ભારતે પાકિસ્તાન સાથે ફક્ત પરસ્પર વાતચીત દ્વારા જ યુદ્ધવિરામ કર્યો છે. આ કેસમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નહોતી.

4 દિવસના લશ્કરી સંઘર્ષ પછી યુદ્ધવિરામ થયો
તમને જણાવી દઈએ કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ હુમલા કરીને, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. હવાઈ ​​હુમલાના બદલામાં, પાકિસ્તાને ભારત પર ડ્રોન મિસાઈલ હુમલા કર્યા. પાકિસ્તાને ચાર સરહદી રાજ્યો - પંજાબ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર અને ગુજરાતને નિશાન બનાવ્યા.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ 7 મે થી 10 મે સુધી ચાલ્યો હતો. 10 મેના રોજ, બંને દેશોના ડીજીએમઓ વચ્ચેની વાતચીત બાદ યુદ્ધવિરામ થયો. આ યુદ્ધવિરામનો શ્રેય ડોનાલ્ડ ટ્રમ્પ લઈ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર એક ટ્વીટ લખીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ વિશે દુનિયાને માહિતી આપી હતી, પરંતુ યુદ્ધવિરામનો શ્રેય તેમણે પોતાને અને અમેરિકા અને બંને દેશો વચ્ચેની લાંબી વાટાઘાટોને આપ્યો હતો.

Recent Posts

ઇઝરાયલની સરોકા હોસ્પિટલ પર મિસાઇલ હુમલાથી ભારે વિનાશ, નેતન્યાહૂએ કહ્યું-'ઇરાને આની કિંમત ચૂકવવી પડશે'

ભારત અને ક્રોએશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું-"હવે ત્રણગણા સંબંધો વધશે"

TOP NEWS | PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ સુધી ફોન પર થઈ વાતચીત । tv13 gujarati

પાકિસ્તાનના જૈકબાબાદમાં બોમ્બ વિસ્ફોટ, જાફર એક્સપ્રેસ ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતર્યા

PM મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે 35 મિનિટ કરી વાત, ઓપરેશન સિંદૂર પર વિગતવાર કરી ચર્ચા

ઈરાને ઇઝરાયલ પર હાયપરસોનિક મિસાઇલ છોડી, લશ્કરી ઠેકાણાઓને બનાવ્યા નિશાન

પદ સંભાળ્યાના ચાર દિવસ પછી જ ઇઝરાયલે ઈરાની મેજર જનરલ અલી શાદમાની હત્યા કરી

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ UAEના ડૉ. શમશીર વયલીલે કરી મદદની જાહેરાત, જાણો કોણ છે ડૉ. શમશીર વયલીલ

શું ઈરાન ક્યારેય પરમાણુ હથિયારો નહીં બનાવી શકશે? G7 સમિટથી તેહરાનને કડક ચેતવણી

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સરકારે બનાવ્યો કંટ્રોલ રૂમ, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર