તમારા માટે ખાંડ સારી કે ગોળ, જાણો બંનેની ન્યુટ્રીશન વેલ્યુ

ભારતમાં મીઠાઈ અને મીઠી વસ્તુના પ્રેમીઓ માટે ખાંડ અને ગોળ બે અગત્યના વિકલ્પો છે. ત્યારે આપણે આ લેખમાં એ જાણીશું કયો વિકલ્પ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

image
X
ભારતમાં મીઠાઈ અને મીઠી ચીજોની મોટી માંગ છે. સામાન્ય રીતે જોઈએ તો ગોળ અને ખાંડ બંને શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. પરંતુ બનાવવાની પદ્ધતિ અલગ છે. ખાંડ બનાવવા માટે, શેરડીના રસને ઉકાળવામાં આવે છે અને પછી તેને બ્લીચ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ખાંડમાંથી પોષક તત્વો નષ્ટ પામે છે. પરંતુ ગોળને કુદરતી રીતે બનાવવામાં આવે છે, અને તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

શા માટે ગોળ ખાવો જોઈએ 
ગોળ એ એક કુદરતી મીઠું છે, જેમાં ઘણા પોષણ તત્વો રહેલા હોય છે. તેમાં વિટામિન B6, મિનરલ્સ, અને ફાઈબર હોય છે. આ બધું શરીરને વધુ ઊર્જા આપે છે. ગોળમાં એન્ટીઓકિસડન્ટ ગુણો હોય છે, જે તમારા શરીરના કોષોને સુરક્ષિત રાખે છે. તે શરીરને ડિટોક્સિફાય કરવાની ક્ષમતા ધરાવે છે.

ગોળમાં આ વસ્તુઓ હોય છે હાજર 
383 કેલરી
1 ગ્રામ ફાઈબર
99 ગ્રામ કાર્બોહાઇડ્રેટ
80 મિલિગ્રામ કેલ્શિયમ
40 ગ્રામ ફોસ્ફરસ
3 મિલિગ્રામ આયર્ન

શા માટે ખાંડ કરે છે નુકસાન
ખાંડનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. ખાંડમાં પોષક તત્વો હોતા નથી. તે ફક્ત ગ્લુકોઝ આપે છે, જે ઊર્જાનો સ્રોત છે. પરંતુ જો તમે વધુ ખાંડ ખાવ છો તો તમારો બ્લડ સુગર લેવલ વધારે થઈ શકે છે અને ટાઈપ 2 ડાયાબિટીસ જેવા રોગો થવાનો ખતરો પણ વધી શકે છે.

ખાંડમાં આ વસ્તુઓ હોય છે હાજર 
387 કેલરી
95.98 ગ્રામ કાર્બોહાઇડ્રેટ


આ પરથી ગોળ તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. તે સ્વાદમાં શ્રેષ્ઠ છે સાથે પોષણ માટે પણ આદર્શ છે. ખાંડની સરખામણીમાં ગોળ વધુ કુદરતી અને પોષણયુક્ત છે. જો તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખવા માંગો છો, તો ગોળનો ઉપયોગ કરવો વધુ શ્રેષ્ઠ છે.

Disclaimer: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

Recent Posts

આ શાકભાજી સહીત ફળોના રસનું સેવન કરવાથી બીપીના દર્દીઓને થશે ફાયદો

દરરોજ બ્રેડ ખાવાથી તમે બની શકો છો હાઈ બ્લડ પ્રેશરના દર્દી, જાણો કેવી રીતે

હવે બહારનું નહિ....... જમો ઘરે બનાવેલ સ્વાદિષ્ટ પનીર, જાણો કઈ રીતે બનાવશો પનીર

શું તમે જાણો છો રોઝ ડે શા માટે મનાવવામાં આવે છે, જાણો અહીં

માથાનો દુખાવો થવા પર તરત દવા ન લો, આ 4 ઘરગથ્થુ ઉપચાર મિનિટોમાં જ આપશે રાહત

શરદી અને ઉધરસથી પરેશાન હોવ તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, મળશે તુરંત રાહત

ચહેરો ચમકાવવો છે તો મખાનામાંથી બનાવો આ ફેસપેક, બની જશો યુવાન

સામાન્ય રીતે ફેબ્રુઆરીની મિશ્ર ઋતુમાં કેવી રીતે રાખશો સ્વાસ્થ્યની જાળવણી

લિવરને સ્વસ્થ રાખવા માટે આહારમાં આ 5 વસ્તુઓનો સમાવેશ કરો, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

રસોઇમાં વપરાતો ગરમમસાલો ફાયદાકારક કે નુકશાનકારક?, જાણો ફાયદા અને ગેરફાયદા