વાર પલટવાર / ઓવૈસી vs અનુરાગ ઠાકુર - સાંસદમાં થયેલા વિવાદ મામલે AIMIMના વડા અને કેન્દ્રીય મંત્રી આમને સામને
લોકશાહીનું મંદિર ગણાતા સંસદ ભવનમાં ભાજપના સાંસદ રમેશ બિધુરીએ સાંસદ દાનિશ અલીને અપમાનજનક શબ્દો કહ્યા હતા. ત્યારે આ મામલે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર આમને સામને આવ્યા છે.
ઓવૈસી ધણા લાંબા સમયથી સાંસદ છે. જ્યારે પણ તે માંગે ત્યારે તેને બોલવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. ભારતીય સંસદમાં દરેક વ્યક્તિને અધિકાર મળે છે, પછી ભલે તે સ્વતંત્ર સાંસદ હોય અથવા જો તે કોઈ એક જ વ્યક્તિ હોય, જે તેમની પાર્ટીના એકમાત્ર ચૂંટાયેલા સભ્ય હોય. પરંતુ તેઓ એવું કહે છે કો કેટલાકને પોતાની વાત રાખવાનો અધિકાર મળતો નથી અને કેટલાકને લિંચ કરવામાં આવે છે, હું કહેવા માગું છું કે, કૃપા કરીને આવા મામલે રાજકારણ કરવાનું બંધ કરો" કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર કહે છે
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી "અમે જોઈએ છીએ કે એક બીજેપી સાંસદ સંસદમાં મુસ્લિમ સાંસદને અપશબ્દો બોલે છે. લોકો કહી રહ્યા છે કે તેણે સંસદમાં આ બધું ન બોલવું જોઈતું હતું, તેઓ કહી રહ્યા છે કે તેની ભાષા ખરાબ હતી. આ લોકોના પ્રતિનિધિ છે. તમે કોને વોટ આપ્યો છે... એ દિવસ દૂર નથી જ્યારે દેશની સંસદમાં એક મુસ્લિમનું મોબ લિંચિંગ થશે... ક્યાં છે તમારો 'સબકા સાથ, સબકા વિકાસ? આ મામલે દેશના વડાપ્રધાન એક શબ્દ પણ બોલશે નહીં...