મોરબી પુલ દુર્ઘટના મામલે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી, રાજ્ય સરકાર સામે ગંભીર લગાવ્યા આરોપ
મોરબી પુલ દુર્ઘટના મામલે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્ય સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે... કોંગ્રેસના નેતા લલિત વસોયા, લલિત કગથરા અને ધારાસભ્ય કિરીટ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે મોરબી દુર્ઘટના પર એસઆઈટીના રિપોર્ટ સામે સવાલ ઉઠાવ્યા છે... એસઆઈટીને આખી દુર્ઘટનામાં માત્ર એક જ વસ્તુ કેમ દેખાઈ જેને લઈને કોગ્રેસે એસઆઈટી તપાસ સામે સવાલ ઉઠાવ્યા છે... એસઆઈટીએ સમગ્ર ઘટનામાં વન સાઈડ તપાસ કરી હોવાનો કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો છે.. તો મોરબી નગરપાલિકા સામે પણ કોંગ્રેસે ગંભીર સવાલ ઉઠાવ્યા છે.. મોરબી નગરપાલિકા 40 વર્ષથી સંચાલન કરતી હોવા છતાં ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં કેમ આવ્યું નહોતું જેને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યા છે.. તો મોરબી પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપને હોળીનું નારિયેળ બનાવ્યું હોવાનો કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો છે.. કોંગ્રેસ નેતા લલિત કગથરા જણાવ્યું હતું કે તેઓ જયસુખ પટેલનો બચાવ કરતા નથી પણ દુર્ઘટના પાછળ કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને પદાધિકીરોની જવાબદારી પણ નક્કી થવી જોઈએ.. મોરબી પુલ દુર્ઘટનાને લઈને કોંગ્રેસે સરકાર સામે આંદોલન કરવાની વાત કરી છે.. આગામી દિવસોમાં રાજકોટ અને મોરબીમાં સંમેલન યોજીને આંદોલનનું રણશિંગુ ફુંકવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે...