રાજકોટમાં બંગાળી પરિવાર દ્વારા દુર્ગા પૂજાનું આયોજન
રાજકોટમાં બંગાળી પરિવાર દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે... રાજકોટના રામનાથપરા વિસ્તારમાં રામકૃષ્ણ સ્મૃતિ સંઘ દ્વારા છેલ્લા 15 વર્ષથી દર વખતે નવરાત્રિમાં દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે... દુર્ગા પૂજા મહોત્સવ માટે 30 દિવસ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે... દેવીપૂજાના સાત પ્રકારના કલ્પ હોય છે તે પૈકી પહેલા કલ્પની શુક્રવારે પૂજા કરવામાં આવી હતી.પાંચમ થી દશમ સુધી દુર્ગા પૂજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે..,