અંબાજી જતાં દર્શનાર્થીઓ માટે મહત્વના સમાચાર
આસો સુદ પૂનમના દિવસે અંબાજી જતાં દર્શનાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે.... આ દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે... પૂનમના દિવસે મંગળા આરતી વહેલી સવારે 6 વાગ્યે કરવામાં આવશે.... જ્યારે દર્શનાર્થીઓ સવારે સાડા 6થી સાડા 11 વાગ્યા સુધી દર્શન કરી શકશે... ત્યારબાદ બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે.... માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ બાદ અંબાજી મંદિર બંધ રહેશે.... તો ચંદ્રગ્રહણ હોવાના કારણે સાંજની આરતી બપોરે 3થી સાડા 3 વાગ્યા સુધી કરવામાં આવશે.... માતાજીની સાંજની આરતી કર્યા બાદ અંબાજી મંદિર સંપૂર્ણ રીતે બંધ રહેશે.... તો પૂનમના બીજા દિવસે 29 ઑક્ટોબરથી દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે.