ઉમાજી કહું મેં તો અનુભવ અપના..... સત હરી ભજન જગત સબ સપના.......
કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરે રામ મંદિરના ધ્વજદંડની કરી પૂજા
અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતા મહિને યોજાવા જઈ રહ્યો છે,...ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે...અમદાવાદનાં ગોતા વિસ્તારમાં અંબિકા એન્જિનિયરિંગમાં રામ જન્મભૂમિના મંદિરમાં મૂકવાના મુખ્ય સ્તંભ , પરિક્રમા સ્તંભ અને બારણાના મિજાગરાનું નિર્માણ કર્યું છે આ ઇતિહાસના એક ભાગ જેવા સ્તંભોમાં મુખ્ય સ્તંભ 35 ફૂટ જેટલું ઊંચું અને ૭૫૦૦ કિલો વજન વાળો તૈયાર કર્યો છે જેની આજે સંતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી....આ વિશેષ અવસરમાં સુપ્રસિદ્ધ લોક ગાયક અને ટીવી 13 ગુજરાતીના એમડી કીર્તિદાન ગઢવી અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે હાજર રહીને પૂજન વિધિ કરી હતી..