સિક્કિમમાં કુદરતનો કહેર, વાદળ ફાટવાથી તીસ્તા નદીમાં આવ્યું પૂર
સિક્કિમમાં લોનાક સરોવર પર અચાનક વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું. સેનાના 23 જવાનો ગુમ થયાના સમાચાર છે. વહીવટીતંત્રે આસપાસના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. આ દુર્ઘટનામાં ઘાટીમાં કેટલાક સૈન્ય મથકોને અસર થઈ છે.
વહેલી સવારે 23 જવાનો ગુમ થયાના સમાચાર હતા. હવે 23 સૈનિકો સહિત કુલ 30 લોકો ગુમ થયાના અહેવાલ છે. ગુવાહાટીમાં ડિફેન્સ પીઆરઓએ સવારે કહ્યું હતું કે, 'સિક્કિમના ઉત્તરમાં લોનાક તળાવ પર અચાનક પૂર આવ્યું હતું. 23 સૈનિકો ગુમ છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીની સપાટી અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ પહોંચી ગઈ હતી. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને અસર થઈ હતી. સેનાના 23 જવાનો ગુમ થયાના અને 41 વાહનો કાદવમાં ડૂબી જવાના સમાચાર છે.