PM મોદીએ સોનલ માઁ અને ચારણ સમાજના અગ્રણીઓને કર્યા યાદ
PM મોદીએ સોનલ માઁ વિશે જણાવ્યું કે, દેશ માટે, ચારણ સમાજ માટે અને માતા સરસ્વતીના બધા ઉપાસકો માટે તેમનું મહાન યોગદાન રહ્યું છે. ચારણ સમાજ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આ સમાજને આપણા શાસ્ત્રોમાં પણ વિશેષ સ્થાન અને સન્માન આપવામાં આવ્યું છે. ભાગવત પુરાણ જેવા ગ્રંથોમાં ચારણ સમાજને શ્રી હરિના સંતાન કહેવમાં આવ્યા છે. આ સમાજ પર માઁ સરસ્વતીના આશીર્વાદ રહ્યાં છે. તેથી જ આ સમાજમાં એક થી એક વિદ્વાનોની પરંપરા અવિરત ચાલી રહી છે. પૂજ્ય ઇશ્વર દાસજી, પિંગળશી બાપૂ, પૂજ્ય કાગ બાપૂ, મેરુહા બાપૂ, શંકરદાન બાપૂ, શંભૂદાનજી, ભજનિક નારાણસ્વામી, હેમુભાઇ ગઢવી, પદ્મ શ્રી કવિ દાદ, પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી જેવા વ્યક્તિત્વ ચારણ સમાજના વિચારોને સમૃધ્ધ કરતા રહ્યાં છે.