PM મોદીને તિલક પુરસ્કારથી સન્માનિત કરાયા, શરદ પવાર અને મોદીએ મંચ શેર કર્યુ
ભારતીય રાજકારણ અને ખાસ કરીને સત્તાપક્ષ અને વિપક્ષનાં એપી સેન્ટર સમાન બે નેતાઓ સહિત મહારાષ્ટ્રનાં ઉકળતા ચરૂ સમા રાજકારણનાં અઠંગ રાજકારણી એટલે કે મહારાષ્ટ્રનાં CM એકનાથ શિંદે, Dy. CM દેવેન્દ્ર ફડનવીસ અને નાણાંમંત્રી અજીત પવાર આજે એક મંચ પર જોવામાં આવશે અને આવી વિરલ રાજકીય – સામાજીક ઘટના પાછળ છે એક એવોર્ડ......લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર
દેશભરનું અને ખાસ કરીને વિપક્ષોનું ધ્યાન આજે આ મંચ પર મડરાયેલું છે. વાત જાણે એમ છે કે, આજે PM મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત કરાયા છે. જેને સ્વીકારવા માટે PM પૂનાની મુલાકાતે ગયા છે. બાળ ગંગાધર તિલકની પૂણ્યતિથિ નિમિત્તે તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે 1 ઓગસ્ટના દિવસે આ એવોર્ડ આપવામાં આવે છે.
આ એવોર્ડ એવી વ્યક્તિઓને ઓળખવામાં
આવે છે જેમણે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં નોંધપાત્ર અને અસાધારણ યોગદાન આપ્યું
છે. જ્યાં તેમણે દગડૂશેઠ ગણપતિ મંદિરમાં પૂજા કરીને તેમના પ્રવાસની શરૂઆત કરી છે. PM મોદી આજે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન પણ કરશે અને
અન્ય યોજનાઓનું લોકાર્પણ પણ કરશે.